કેટલીક વખત રસ્તામાં જતી વખતે અંતિમ યાત્રા જોવા મળે છે. અંતિમ યાત્રા જોતી વખતે રામનું નામ જપવું સારું માનવામાં આવે છે. કોઇની અર્થી લઇ જતા જોતા કોઇ ગરીબને દાન આપો.
માન્યતા છે કે કોઇની અર્થી જોવા પર એને પ્રણામ કરવાથી વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ થાય છે. કારણ કે મર્યા બાદ આત્મા ઇશ્વરમાં લીન થઇ જાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શવ યાત્રા જોવા પર કેટલાક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિને લાભ થઇ શકે છે.
જો રસ્તામાં કોઇ શવ યાત્રા જોવા મલળે તો તરત એ સ્થાન પર ઊભા રહીને હાથ જોડો. સાથે જ મૃતકની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો. એનાથી તમારો સમગ્ર દિવસ સારો પસાર થશે.
જો તમે કોઇ ખાસ કામ માટે બહાર જઇ રહ્યા છે અમે રસ્તામાં તમને અર્થી લઇ જતા જોવા મળે તો ત્યાં એક સિક્કો નાંખી દો. સાથે જ મૃતકને પ્રણામ કરો. એનાથી તમને કાર્યમાં સફળતા મળશે.
જો શ્રાવણ મહિનામાં તમને કોઇ અંતિમ યાત્રા જોવા મળે તો ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે મૃત્યુ બાદ આત્માં શિવમાં લીન થઇ જાય છે. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.
શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ બ્રાહ્મણની અર્થી ઊઠાવે છે તો એક યત્ર બરાબર પુણ્યની પ્રાપ્તિ થાય છે.
રસ્તામાં અંતિમ યાત્રા જોા બાદ કોઇ જરૂરીયાતમંદનવે દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. એનાથી તમારા અટકેલા કામ થઇ જશે.
અંતિમ યાત્રા જોવા પર કોઇ મંદિરમાં મૃતકના નામથી રૂપિયા દાન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. એનાથી તમારી બધી સમસ્યા દૂર થાય છે.
જેનું કામ હંમેશા બગડી જાય છે એમને કદાચ અર્થી લઇ જતા જોવા મળે તો પ્રયત્ન કરો કે પ્રણામ કરો.