જ્યોતિષ અનુસાર ઘરમાં જો કીડીઓ આવવા લાગે તો આ લાઇફમાં થનાર ફેરફારનો સંકેત હોઇ શકે છે. જાણો કેવી રીતે...
આમ તો મોટાભાગે દરેક ઘમાં થોડી કીડીઓ તો જોવા મળે છે. ખાસ કરીને કંઇક ખાવાનું પડ્યું હોય તો જરૂરથી લાગે છે. એવી રીતે ગરમીમાં પણ તમે નોટિસ કર્યું હશે કે દરેક વસ્તુમાં કીડીઓ લાગી જાય છે. પરંતુ ઘરમાં સફાઇ રાખ્યા બાદ પણ કીડીઓ આવી રહી છે તો એનું ખાસ કારણ હોઇ શકે છે. જ્યોતિષ અનુસાર જો અચાનકથી કીડીઓ આવવા લાગે અને તમને દરેક જગ્યાએ દેખાવવા લાગે તો આ લાઇફમાં થનારો ફેરફારનો સંકેત છે. આ કીડીઓ કાળી અથવા લાલ હોઇ શકે છે નાની અથવા મોટી પણ હોઇ શકે છે. કયા પ્રકારની કીડીઓ તમારા ઘરમાં આવી ગઇ છે એ જોઇને જાણી સકાય છે કે આ કઇ વાતનો સંકેત છે.
સાથે એવું પણ જાણો કે કીડીઓને શું ખવડાવાથી કઇ સમસ્યા દૂર થઇ શકે છે.
જો કાળી કીડીઓ જોવા મળે તો તમારું ભાગ્યોદય થનારું છે. સુખ આવશે અને પગાર પણ વધશે.
જો લાલ કીડીઓ ઘરમાં જોવા મળે તો કોઇ મોટી મુશ્કેલી અથવા બિમારીનો સંકેત હોઇ શકે છે.
જો નવા ઘનો પાયો નાંખતા સમયે કીડીઓને ઘર મળે તો એ અશુભ સંકેત છે.
કીડીઓને લોટ અને ખાંડ નાંખો અને જ્યારે એ ત્યાંથી ચાલી જાય ત્યારે કામ શરૂ કરો.
જો તમને સપનામાં કીડીઓ જોવા મળે તો ધન લાભ થઇ શકે છે.
પરંતુ જો સપનામાં વધારે કીડીઓ જોવા મળે તો આ કોઇ પરેશાનીનો સંકેત છે.
કીડીઓને ક્યારેય મારી નાંખવી જોઇએ નહીં એનાથી ઘમાં બેડ લક આવે છે.
આ સાથે અમે તમને કેટલાક ઉપાયો પણ જણાવી રહ્યા છીએ...
કીડીઓને ચોખાના લોટમાં ખાંડ મિક્સ કરીને નાંખવાથી ગુડ લક આવે છે અને પરિવારમાં શાંતિ રહે છે.
જો દરેક કામમાં અડચણ આવે છે તો કીડીઓને નારિયેળના પાઉડરમાં ખાંડ મિક્સ કરીને ખવડાવો.
જોબની પરેશાનીઓ દૂર કરવા માટે બદામના પાઉડરમાં ખાંડ મિક્સ કરીને કીડીઓને નાંખો. એનાથી બિઝનેસમાં પણ ફાયદો થઇ શકે છે.
જો તમારી રાશીમાં શનિ દોષ હોય તો કીડીઓને શેકેલા લોટમાં ખાંડ મિક્સ કરીને નાંખો.
રાહુની દશા ખરાબ હોય તો કીડીઓને ખાંડ નાંખો.
જો તમારો સૂર્ય નબળો હોય તો રવિવારે કીડીઓને ખીર બનાવીને ખવડાવો.
જો કુંડળીમાં પિતૃદોષ હોય તો અમાસે તમારા ખાવામાંથી થોડુંક ખાવાનું કીડીઓને ખવડાવો.
ગૃહ દોષ દૂર કરવા કીડીઓને ગળી રોટલી ખવડાવો એનાથી લક્ષ્મીજી પણ ખુશ થાય છે.