અમદાવાદમાં કાંકરિયા લેક સહિતના જાહેર સ્થળો પર વેક્સીન સર્ટીફીકેટ દર્શાવ્યા બાદ જ પ્રવેશ.મલ્ટીપ્લેકસ થીયેટરમાં પણ ડબલ ડોઝનું દર્શાવવું પડશે સર્ટીફીકેટ.પછી જ પ્રવેશ
અમદાવાદના જાહેર સ્થળો પર 'નો વેક્સીન,નો એન્ટ્રી'
AMTS-BRTS,કાંકરિયા, હોટેલ-રેસ્ટોરન્ટ,મલ્ટીપ્લેક્સ
જાહેરસ્થળોએ જાઓ ત્યારે 'બે ડોઝ'નું સર્ટીફીકેટ દર્શાવો
અમદાવાદમાં હવે લગભગ દરેક જાહેર સ્થળોએ પ્રવેશ માટે વેક્સિનને ફરજિયાત કરી દેવામાં આવી છે.ત્યારે અમદાવાદની ઓળખસમા કાંકરિયામાં પણ પ્રવેશ માટે વેક્સિન ફરજિયાત કરવામાં આવી છે.જેને લઈને અનેક વેક્સિન વગરના મુલાકાતીઓને કાંકરિયામાંથી પરત ફરવાની ફરજ પડી છે.ફરજિયાત વેક્સિનના કારણે અત્યારસુધીમાં આશરે 3 હજાર મુલાકાતીઓને પરત મોકલવામાં આવ્યા છે.તથા તેના કારણે કાંકરિયાની આવકમાં 30 ટકા જેટલો ઘટાડો પણ નોંધાયો છે.ઉલ્લેખનીય છે કે કાંકરિયામાં વહેલી સવારે મોર્નિગ વોક માટે પણ મોટી સંખ્યામાં લોકો આવે છે ત્યારે વેક્સિન વગરના અનેક મોર્નિગ વોકરોને પરત મોકલવામાં આવી રહ્યા છે.
'ડબલ ડોઝ' સર્ટિ.દર્શાવો, પ્રવેશ મેળવો
કોરોનાનો ખૌફ ઓછો થવા સાથે સતર્કતા દાખવવા મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર મેદાને પડ્યા છે. નવરાત્રીના ગરબામાં કર્ફ્યુની સમય મર્યાદા વધારી પણ, માત્ર શેરી ગરબાને જ મંજૂરી અપાઈ છે. તો AMTS-BRTSમાં વેક્સીન વગરના લોકોને બસમાં ચઢવા જ નથી દેવાતા. હવે હોટેલ-રેસ્તોરંટ્સ, મલ્ટીપ્લેકસ થીયેટર સાથે કાંકરીયામાં પણ 'ડબલ ડોઝ'નું પ્રમાણ પત્ર ફરજિયાત બનાવાયું છે.તો અમદાવાદના ટુર ઓપરેટર્સએ પણ વેકસીનેશનના બે ડોઝ લીધા હોય તેવા જ મુસાફરોના બુકિંગ લેવાનો નિર્ણય કર્યો છે. મુસાફરો પણ આ નિર્ણય સેફટી માટે લેવાયો હોવાનું જણાવી નિર્ણયની સરાહના કરી રહ્યા છે. કોરોનાના કેસ હાલ ઘટ્યા છે છતાં ત્રીજી લહેરની શક્યતાઓ જોવાઇ રહી છે. પણ કોરોનાને નાથવા વેકસીન એક માત્ર સંજીવની જડીબુટ્ટી સમાન છે. ત્યારે ગુજરાતના ટુર ઓપરેટર્સ પણ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માર્ગે જોવા મળી રહ્યા છે.રાજ્ય સરકારે પણ અગમચેતીના ભાગરૂપ સંભવત;ત્રીજી લહેર સામે તૈયારીઓ કરી રાખી છે. પરંતુ એમ્સના નિર્દેશક ડો.ગુલેરીયાના નિવેદન પ્રમાણે હવે, ત્રીજી લહેરની શક્યતા ઓછી છે કારણકે,વેક્સીનેશન પ્રક્રિયા ઝડપી બની છે અને લગભગ 98 ટકાથી વધુ નાગરીકો વેક્સીનયુક્ત બન્યા છે.આમ છતાં, સાવચેતી જરૂરી છે.
સાવચેતી માટે સતર્ક AMC
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક કડક આદેશ પારિત કરવામાં આવ્યો છે. તે છે વેક્સિન વગરના લોકોને મહાનગરપાલિકાના પરિસર એટલે જાહેર સ્થળો પર રોક, 20 સપ્ટેમ્બરથી આ નિર્ણય પર એએમસી અમલવારી કરવા જઈ રહી છે. મનપાના તમામ પરિસરોમાં મુલાકાતિઓનું કોરોના રસીનું સર્ટી ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.રસીકરણના સર્ટી તપાસ્યા બાદ જ પ્રવેશ મળશે તેવો ફરમાન જાહેર કરી દેવાયું છે. આખરે કેમ એએમસીએ આકારો નિર્ણય લેવો પડ્યો 70 લાખથી પણ વધુની વસ્તી ધરાવતા અમદાવાદ શહેરમાં જો રસી લીધેલા લોકોની સંખ્યા પર નજર કરીએ તો શહેરમાં અત્યાર સુધી 36.59 લાખ લોકોએ પહેલો ડોઝ લીધો છે. 16.44 લાખ શહેરના નાગરિકોએ રસીનો બીજો ડોઝ લીધો બાકીના ઘણખરા બાકી જ છે.
કયા કયા જાહેર સ્થળો પર વૅક્સિનેશન સર્ટિ વગર પાબંધી
AMCના નિર્ણય મુજબ અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત તમામ જગ્યાએ રસીનું સર્ટિ ફરજિયાત કરી દેવાયું છે 20 સપ્ટેમ્બરથી AMTS-BRTS, કાંકરિયા લેક્ફ્રન્ટ, કાંકરિયા ઝુમાં પ્રવેશ પહેલા વેકસીનેશન સર્ટિ તપાસવામાં આવશે, સાથે જ રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, સ્વિમિંગ પુલ, જીમખાનામાં જે પણ AMC હસ્તક હશે ત્યાં સર્ટિ ફરજિયાત ચકાસવામાં આવશે. સીટી સિવિલ સેન્ટર સહિતના બિલ્ડીંગમાં સર્ટી તપાસવામાં આવશે. જો તમે હવે વેક્સિન નહીં લીધી હોય તો AMC જાહેર સ્થળો પર કામકાજ માટે કે હરી ફરી નહી શકો