શું તમે લોકડાઉનમાં લોન મોરટોરિયમ સુવિધાનો લાભ લીધો નથી અને તમારા બધાં હપ્તા ચૂકવ્યા છે? તો દિવાળી પહેલાં સરકાર તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે. લોકડાઉનમાં કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાહકોને સમયસર લોન પરત ચૂકવવારા ગ્રાહકોને કેન્દ્ર સરકાર દ્વારા આ ઓફર આપવામાં આવી રહી છે.
લોકડાઉનમાં રેગ્યુલર EMI ચૂકવનારા લોકો માટે ખુશખબરી
હવે આ લોકોના ખાતામાં આવશે કેશબેક
મોદી સરકારે કરી જાહેરાત
કેન્દ્ર સરકારે લોન મોરટોરિયમ દરમિયાન વ્યાજ પર વ્યાજ લઈને પોતાના નિર્ણય અંગે સંપૂર્ણ માહિતી આપતી વખતે આ વાત કહી. કેન્દ્રની મોદી સરકારે આ અંગેની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે, જેમણે સમયસર EMI ભરી છે, તેમને વ્યાજ પરના વ્યાજ પ્રમાણે કેશબેક મળશે. જે લોકો સમયસર EMI આપી શક્યા નહતા તેમના વ્યાજ પર વ્યાજ સરકાર ચૂકવશે.
કોને મળશે કેશબેક?
સરકારે કહ્યું છે કે લોન લેનાર એ તમામ ગ્રાહકો જેમણે લોન મોરટોરિયમની સુવિધાનો લાભ લીધો નહોતો અને સમયસર EMI ચૂકવી હતી, તેમને કેશબેક મળશે. આ યોજના અંતર્ગત લોન લેનારાઓને સરળ અને સંયુક્ત ઈન્ટરસ્ટમાં 6 મહિનાના તફાવતનો લાભ મળશે.
मोदी सरकार का बड़ा फैसला -
🔹जिन्होंने समय पर EMI भरा है, उनको ब्याज पर ब्याज के हिसाब से कॅश बैक मिलेगा।
🔹जो EMI समय पर नहीं दे सके, उनके ब्याज पर ब्याज सरकार भरेगी।
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગે ટ્વિટ કરતા કહ્યું કે, જે લોકોએ સમયસર EMI ભરી છે તેમને વ્યાજ પરના વ્યાજ મુજબ કેશબેક મળશે. આ સિવાય જે લોકો સમયસર EMI ચૂકવી શક્યા નહોતા તેમના વ્યાજ પર વ્યાજ સરકાર ચૂકવશે. સાથે જ આ યોજના હેઠળ હોમ લોન, એજ્યુકેશન લોન, ક્રેડિટ કાર્ડ બિલ, વાહન લોન, એમએસએમઇ લોન, ગ્રાહક ડ્યૂરેબલ લોન ધારકોને લાભ મળશે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહમારીને કારણે RBIએ 6 મબિના માટે લોન મોરટોરિયમની સુવિધા આપી હતી.
વ્યાજ પર વ્યાજ માફ કરવામાં આવશે
તમને જણાવી દઈએ કે સરકારે 2 કરોડ રૂપિયા સુધીની લોન લેનાર ગ્રાહકોને લોન મોરટોરિયમ સુવિધાનો લાભ આપ્યો હતો. સરકારના જણાવ્યા પ્રમાણે 6 મહિનાની લોન મોરટોરિયમ સમયમાં બે કરોડ રૂપિયા સુધીની લોનના વ્યાજ પર વ્યાજમાં છૂટ આપવામાં આવશે.