આ રાશિ વાળા એકબીજા સાથે લગ્ન કરશે તો પ્રેમ નહીં, ઝઘડા જ થશે!તમે ક્યારેય એવા કિસ્સા જોયા છે કે લગ્ન પહેલા એકબીજાને ખુબ જ પસંદ કરતા લોકો લગ્ન બાદ એકબીજાના દુશ્મન બની જાય છે.
ક્યારેક એવો પણ વિચાર આવે કે આ બંને વચ્ચેન પ્રેમ ક્યાં ગાયબ થઇ ગયો. તમને જાણીને નવાઇ લાગશે કે આવા કિસ્સામાં તે વ્યક્તિ નહીં પરંતુ તેમની રાશિઓ જવાબદાર હોય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જો આવી બે રાશિઓ વચ્ચે લગ્ન થઇ જાય તો તેમના વૈવાહિક જીવનમાં દુર દુર સુધી સુખ દેખાતુ નથી અને સતત ઝઘડા જ થયા કરે છે, ક્યારેક વાત છુટાછેડા સુધી પણ પહોંચી જાય છે. તો જાણો કઇ રાશિના લોકોએ એકબીજા સાથે લગ્ન કરવાનું ટાળવું જોઇએ.
1. સિંહ અને કર્ક- જો સિંહ અને કર્ક રાશિના લોકો વચ્ચે લગ્ન થાય તો તેમની વચ્ચે અજીબ પ્રકારના ઝઘડા થાય છે. તેનું કારણ છે કે કર્ક રાશિ વાળા પોતાના પાર્ટનર પ્રત્યે ઉંડો લગાવ રાખવા ઇચ્છે છે., પરંતુ સિંહ રાશિવાઓને અસુરક્ષાની ભાવનાના કારણે તેમની વચ્ચે સતત અણબનાવ રહે છે.
2. મકર અને કુંભ- મકર અને કુંભ બંને રાશિવાળા પોતાના રિલેશનને સારી રીતે નિભાવવા તૈયાર રહે છે, પરંતુ બંને પોતાના અલગ અલગ વ્યવહારના કારણે એકબીજા સાથે ઝઘડ્યા કરે છે. મકર રાશિ વાળા ખુબ ઇમોશનલ હોય છે. કુંભ રાશિવાળા રિલેશનશિપને લઇને ખુબ પ્રેકટીકલ હોય છે. બંનેની વિચારધારા પણ અલગ હોય છે અને કુંભ મકર રાશિના જાતક પર પોતાનો પ્રભાવ દેખાડવાનું શરુ કરી દે છે. તેમાં તેમના સંબંધો અંતિમ તબક્કામાં પહોંચી જાય છે.
3. કન્યા અને મિથુન- કન્યા અને મિથુન રાશિવાળાઓની વચ્ચે સૌથી મોટી સમસ્યા આ બંનેની સમજની હોય છે. કન્યા રાશિવાળા એકબાજુ સંબંધોને પ્રેકટિકલી હેન્ડલ કરે છે તો બીજી તરફ મિથુન રાશિવાળા ખુબ ભાવુક હોય છે. જ્યોતિશશાસ્ત્ર મુજબ કન્યા રાશિવાળા મિથુન રાશિને એમજ છોડીને ચાલ્યા જાય છે. તેઓ પોતાની જિંદગીમાં સરળતાથી મુવઓન કરી લે છે. મિથુન રાશિવાળાને પોતાની જાતને સંભાળવામાં ખુબ સમય લાગે છે.
4. તુલા અને વૃષભ- જ્યોતિષના જણાવ્યા મુજબ તુલા અને વૃષભ રાશિવાળા કાચ જેટલા સાફ દિલના હોય છે. તેમની વચ્ચે ગજબની અન્ડરસ્ટેન્ડિંગ અને જબરજસ્ત પ્રેમ જોવા મળે છે. આ લોકો એકબીજાથી વધુ સમય સુધી દુર રહી શકતા નથી, પરંતુ બંને પોત-પોતાની વાત મનાવવા પર અડેલા હોય છે. માત્ર આ એક કારણે આ રાશિના જાતકોના લગ્ન વધુ ટકી શકતા નથી.
5. વૃશ્ચિક અને મીન- જ્યોતિશશાસ્ત્ર મુજબ વૃશ્ચિક અને મીન રાશિવાળાનું ડેડલી કોમ્બિનેશન હોય છે. અહીં પ્રોબલેમ એ આવે છે કે વૃશ્ચિક રાશિના લોકો પોતાનો પ્રેમ જાહેર કરવાની બાબતમાં બેદરકાર હોય છે. મીન રાશિવાળા ખુબ જ ઇમોશનલ હોય છે. આ ઉપરાંત આ રાશિવાળાઓ વચ્ચે ઝઘડાનું મુખ્ય કારણ એ હોય છે કે મીન રાશિવાળાને થોડી સ્પેસ જોઇએ છે અને વૃશ્ચિક રાશિ વાળા પોતાના શંકાળુ સ્વભાવના કારણે સંબંધોને લઇને મુંઝાયેલા જ રહે છે.
6. ધન અને કર્ક- જ્યોતિશશાસ્ત્ર મુજબ ધન અને કર્ક રાશિના લોકો ક્યારેય પણ એકબીજાની નજીક આવી શકતા નથી. તેનું મુખ્ય કારણ એ છે કે ધન રાશિવાળા બદલાતા સમય સાથે ચાલવાનું પસંદ કરે છે. કર્ક રાશિવાળા લોકો પર બદલાતા સમય કે પરિસ્થિત બદલાવાની કોઇ અસર થતી નથી. તેઓ પોતાની ધુનમાં જ રહે છે. તેથી આ બે રાશિના લોકોના લગ્ન થાય તો સાથે રહેવામાં ખુબ મુશ્કેલી પડે છે.