ઘણી વખત એવુ થાય છે કે જાણકારીના અભાવ અથવા અમુક ભુલોના કારણે PF ખાતું બંધ થઈ જાય છે.
જીવનભરની કમાણી હોય છે PFના પૈસા
આ ભૂલો કરી તો બંધ થઈ શકે છે ખાતુ
જાણો તેના વિશે બધુ જ
નૌકરીયાત લોકો માટે Provident Fundના પૈસા તેમના જીવનભરની કમાણી હોય છે. એવામાં તમારે EPFO સાથે જોડાયેલા નિયમો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. જ્યાર સુધી તમે નોકરીમાં રહો છો EPFમાં યોગદાન કરો છો અને જ્યારે રિટાયર થઈ જાવ છો તો એક મોટી રકમ તમારી પાસે હોય છે. જેને તમે પોતાની વૃદ્ધા વસ્થા આ જ પૈસાના દમ પર પસાર કરી શકો છો. પરંતુ ઘણી વખત એવુ થાય છે કે જાણકારીના અભાવ અથવા અમુક ભુલોના કારણે PF ખાતું બંધ થઈ જાય છે. તેના માટે તમારા માટે જાણવું ખૂબ જ જરૂરી છે કે તમે એવી કોઈ ભૂલ તો નથી કરી રહ્યાને.
ખાતુ થઈ શકે છે બંધ
જો તમે કોઈ કંપનીમાં પહેલા કામ કરતા હતા તો તે કંપનીથી તમારૂ પોતાનું PF એકાઉન્ટ નવી કંપનીમાં ટ્રાન્સફર ન કરાવ્યું હોય અને જુની કંપની બંધ થઈ ગઈ. એવામાં જો તમારા PF ખાતામાંથી 36 મહિના સુધી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું એટલે કે તેમાં પૈસા નથી નાખવામાં આવ્યા તો એવામાં તમારૂ PF ખાતુ બંધ થઈ જશે. EPFO એવા ખાતાને 'Inoperative' કેટેગરીમાં નાખી દે છે.
કઈ રીતે કરી શકાય ફરીથી એક્ટિવ?
એક વખત ખાતુ "Inoperative" થઈ ગયું તો તમે ટ્રાન્ઝેક્શન નહીં કરી શકો. એકાઉન્ટને ફરી એક્ટિવ કરવા માટે તમારે EPFOમાં દઈને એપ્લીકેશન આપવાની રહેશે. "Inoperative" થયા બાદ પણ એકાઉન્ટમાં પડેલા પૈસા પર વ્યાજ મળતુ રહે છે. એટલે કે તમારા પૈસા ડૂબ્યા નથી. તમને પરત મળી જશે. પહેલા આ ખાતાઓ પર વ્યાજ ન હતુ મળતું પરંતુ 2016માં નિયમોમાં સંશોધન કરવામાં આવ્યું અને વ્યાજ આપવાનું શરૂ કરવામાં આવ્યું. તમને જણાવી દઈએ કે તમારા PF એકાઉન્ટ પર અત્યાર સુધી ત્યાં સુધી વ્યાજ મળતુ રહે છે જ્યા સુધી તમે 58 વર્ષના ન થઈ જાઓ.
ક્યારે થાય છે ખાતુ "Inoperative"
નવા નિયમો અનુસાર, જો કર્મચારીએ EPF એકાઉન્ટ ‘Inoperative’ થઈ જાય છે જો કર્મચારીને EPF બેલેન્સ ઉપાડવા માટે એપ્લીકેશન ન આપી હોય. ત્યારે જ્યારે
A- રિટાયરમેન્ટના 36 મહિના બાદ જ્યારે સદસ્ય 55 વર્ષનો થઈ ગયો.
B- જ્યારે સદસ્ય કાયમી ધોરણે વિદેશમાં સ્થાયી થયો હોય
C- જો સદસ્ય મૃત્યુ પામ્યો હોય
D- જો સદસ્યએ સંપૂર્ણ નિવૃત્તિ ભંડોળ ઉપાડ્યું હોય
4. જો કોઈ વ્યક્તિ 7 વર્ષ સુધી કોઈપણ ક્લેમ નથી કરતો તો તે ફંડને Senior Citizens’ Welfare Fundમાં નાખી દેવામાં આવે છે.
EPFO અંગે શું સૂચનાઓ છે
EPFOએ તેના એક સર્કુલરમાં કહ્યું છે કે નિષ્ક્રિય ખાતા સાથે જોડાયેલા ક્લેમ સાથે નિપટવા માટે સાવધાની રાખવી જરૂરી છે. આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે છેતરપિંડીથી જોખમ ઓછુ થાય અવે યોગ્ય દાવેદારોને ક્લેમની ચુકવણી થાય.
નિષ્ક્રિય PF ખાતાને કોણ કરશે સર્ટિફાઈડ?
નિષ્ક્રિય પીએફ ખાતા સંબંધિત ક્લેમ કરવા માટે જરૂરી છે કે તે ક્લેમના કર્મચારીઓને નિયોક્તા સર્ટિફાઈડ કરે. જોકે જે કર્મચારીઓની કંપની બંધ થઈ ચુરી છે અને ક્લેમ સર્ટિફાઈડ કરવા માટે કોઈ નથી તો તે ક્લેમને બેંક KYC દસ્તાવેજના આધાર પર સર્ટિફાઈ કરશે.