આજકાલ લોકો ROનું પાણી પીતા હોય છે અને માટલાનુ ચલણ ઓછુ થવા લાગ્યુ છે પરંતુ માટલાના પાણીના ફાયદા જાણી લેશો તો ક્યારેય બોટલનું પાણી નહી પીવો.
માટલાના પાણીના ફાયદા
ફ્રીજનું પાણી પીવાનુ ટાળો
પાચનતંત્ર સુધારે છે માટલાનુ પાણી
પાણી સ્ટોર કરવા માટે પહેલા માટીના વાસણનો ઉપયોગ કરવામાં આવતો હતો જેના કારણે પ્રાકૃતિકરૂપથી પાણી ઠંડુ રહેતુ હતુ અને હેલ્થ માટે આ પાણી ખુબ જ ફાયદાકારક હતુ. જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ માટલુ વિસરાતુ ગયુ હતુ.
આજકાલ બધા જ લોકો ફ્રીજમાં રાખેલુ પાણી પીવે છે અને બિમારીઓ વધતી જાય છે. માટલાના પાણીના ફાયદા જાણી લેશો તો ક્યારેય ફ્રીજનું પાણી નહી પીવો.
ગળાને રાખે તંદુરસ્ત
એક રિપોર્ટ અનુસાર માટલાનુ પાણી આપણા ગળાને સ્વસ્થ રાખે છે. શરદી, ખાંસી અને અસ્થમાથી પિડીત લોકોએ માટલાનુ પાણી જ પીવુ જોઇએ.
હાનિકારક રસાયણ નહી
પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરીને પીવાથી BPA જેવા ઝેરીલા રસાયણ આપણા શરીરમાં જાય છે પરંતુ માટલાનુ પાણી પીવાથી કોઇ હાનિકારક રસાયણ શરીરમાં જતા નથી
શરીર માટે ફાયદાકારક
વાસણ બનાવવા માટે માટી વપરાય છે તેમાં ખનીજ અને એનર્જી હોય છે જેથી તેમાં ભરેલુ પાણી પીવાથી શરીને ફાયદો થાય છે.
પાચન સારુ કરે છે
જે વ્યક્તિઓને પાચનની સમસ્યા હોય તે વ્યક્તિઓએ માટલાનુ પાણી પીવુ જોઇએ જેનથી તેની પાચનની સમસ્યા દૂર થઇ જાય છે.