બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:46 PM, 14 February 2025
ભગવાન શિવને ભોલેનાથના નામે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે મહાદેવ ઘણા કૃપાળુ અને દયાળુ ભગવાન છે. એ ભક્તોની ભક્તિથી જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે અને એટલા માટે જ એમને ભોલેનાથના નામે ઓળખવામાં આવે છે. ભોલેનાથને ખુશ કરવા માટે લોકો ઘરમાં એમની તસ્વીર લગાવે છે અને વિચારે છે કે આવું કરવાથી ભોલેનાથ જલ્દી જ ખુશ થઈ જશે.
ADVERTISEMENT
વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં દેવી દેવતાઓ સ્થાપીત કરતા પહેલા કેટલાક વિશેષ નિયમોને ધ્યાનમાં લેવાનું કહેવામાં આવ્યું છે.એવી માન્યતા છે કે તસવીર લગાવાથી સકારાત્મક ઉર્જા ઉતપન્ન થાય છે.જીવનમાં સુખી થવા માટે ઘરમાં શિવજીની પ્રતિમા લગાવાને શ્રેષ્ઠ માનવામાં આવે છે.પરંતુ શિવજીની પ્રતિમા એકલી અથવા ઉભી મુદ્રામાં ન હોવી જોઇએ.માન્યતા છે કે તેનાથી નેગેટિવિટી વધે છે.અને ઘરમાં તણાવ અને અશાંતિ રહે છે.એટલા માટે શિવજીની પ્રતિમા લગાવતા પહેલા વાસ્તુના નિયમોને ધ્યાનમાં રાખવા ખુબ જરૂરી છે.આવો જાણીએ ઘરમાં શિવજીની કેવી પ્રતિમા અથવા તસવીર રાખવી જોઇએ ?
આ પણ વાંચોઃ Viral / સેલ્ફીનું ભૂત ક્યારે ઉતરશે! ટ્રેનના દરવાજા પર સેલ્ફીના ચક્કરમાં દાવ થયો, વીડિયો વાયરલ
ADVERTISEMENT
શિવજીની પ્રતિમા રાખવાના વાસ્તુના નિયમ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં શિવરજીની પ્રતિમા ઉત્તર દિશામાં હોવી જોઇએ.
ઘરમાં શિવજીની એવી પ્રતિમા લગાવો જેમાં તેઓ પ્રસન્ન અથવા નંદી પર બેઠેલા હોય.
શિવજી તાંડવ કરતા અથવા ક્રોધીત મુદ્રામાં હોય તેવી તસવીર ન લગાવાનો વાસ્તુ શાસ્ત્રમાં નિયમ છે.
ઘરમાં સકારાત્મકતા લાવા માટે શિવ પરિવારની તસવીર લગાવી શકાય છે.જેમાં શિવજી,ગણેશજી,પાર્વતીજી,અને કાર્તિકેય હોય.
શિવજીની પ્રતિમા એવી રીતે સ્થાપિત કરો કે જ્યાથી દરેક લોકો દર્શન કરી શકે
જ્યા પણ શિવજીની પ્રતિમા લગાવો છો તે જગ્યાને હંમેશા સાફ રાખો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.