દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે દેશમાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા 24506 સુધી પહોંચી છે. આ સાથે જ દેશમાં 780 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં લૉકડાઉન સમયે મળતી માહિતી અનુસાર ગુજરાતે બહારના રાજ્યોમાં પ્રવાસ કરતા નાગરિકો માટે ઓનલાઈન ઈ પરમિટ શરૂ કરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર થોડી જ વારમાં મહારાષ્ટ્ર સરકાર એડવાઈઝરી બહાર પાડશે. જો તમારી પાસે ગૃહ રાજ્યની પરમિશન હશે તો મહારાષ્ટ્ર પોલીસ તમને નહીં રોકે.
દેશમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર
થોડી જ વારમાં મહારાષ્ટ્ર સરકાર જાહેર કરશે એડવાઇઝરી
ગુજરાત સરકારની ઇ પરમિટ હશે તો મહારાષ્ટ્ર પોલીસ નાગરિકોને નહીં રોકે
થોડીવારમાં મહારાષ્ટ્ર સરકાર એક એડવાઈઝરી જાહેર કરી શકે છે જેમાં કહેવાયું હશે તે જો તમારી પાસે સામેના રાજ્યની પરમિશન હશે તો પોલીસ અન્ય રાજ્યમાં જતા લોકોને નહીં રોકે, આ માટે તમારી પાસે ગૃહ રાજ્યની મંજૂરી હોવી જરૂરી છે. મંજૂરી વાળા લોકોને મહારાષ્ટ્ર પોલીસ રોકી શકશે નહીં. ગુજરાતે પણ હાલમાં બહારના રાજ્યોમાં પ્રવાસ કરતા નાગરિકો માટે ઓનલાઈન ઈ પરમિટ શરૂ કરી છે. તમારી પાસે ગુજરાત સરકારની ઇ પરમિટ હશે તો મહારાષ્ટ્ર પોલીસ નાગરિકોને નહીં રોકે.
હાલમાં ગુજરાતમાં કુલ 2423 કોરોના પોઝિટિવ કેસ છે જેમાંથી 1625 માત્ર અમદાવાદના છે. ગુજરાતમાં હાલ સુધીમાં કુલ 127 લોકોના મોત થયા છે અને સાથે જ 265 લોકો સાજા થયા છે. મહારાષ્ટ્રમાં હાલ સુધીમાં કુલ 6817 નોંધાઈ ચૂક્યા છે.