કહેવાય છે કે ચાણક્યની નીતિઓનું પાલન કરનાર લોકોને જીવનમાં સફળતા જરૂર મળે છે.
ચાણક્ય નીતિની આ વાત જાણો
આવા માણસો હંમેશા રહે છે કંગાળ
લક્ષ્મીજી ક્યારેય નથી આપતા સાથ
આચાર્ય ચાણક્યને એક કુશળ રણનીતિકાર, રાજનીતિજ્ઞ અને કૂટનીતિકાર માનવામાં આવે છે. તેમણે પોતાની નીતિઓની મદદથી ચંદ્રગુપ્ત મૌર્યને સમ્રાટ બનાવ્યા હતા. ચાણક્યએ પોતાની નીતિઓનું વર્ણન ચાણક્ય નીતિમાં કહ્યું છે. આ નીતિઓ આજે પણ પ્રાસંગિક છે. કહેવાય છે કે ચાણક્યની નીતિઓનું પાલન કરનાર લોકોને જીવનમાં સફળતા જરૂર મળે છે. ચાણક્યએ પોતાની એક નીતિમાં વ્યક્તિની એ આદતોનો ઉલ્લેખ કર્યો છે જેના કારણે વ્યક્તિની પાસે ધન નથી રોકાતુ.
મોડે સુધી સુવુ
ચાણક્ય કહે છે કે સવારે મોટા સુધી સુઈ રહેનાર લોકો પર માતા લક્ષ્મીની કૃપા નથી રહેતી. આવા લોકોને હંમેશા આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. ચાણક્ય અનુસાર જે વ્યક્તિ સવારે જલ્દી ઉઠે છે. તે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ્ય હોય છે.
શારીરિક ગંદકી
ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ સ્વચ્છ કપડાં નથી પહેરતા અને દાંતોને સાફ નથી રાખતા તેવા લોકો પર માતા લક્ષ્મીની કૃપા નથી થતી. ધાર્મિક માન્યતાઓ અનુસાર મા લક્ષ્મીનો વાસ એ જગ્યાઓ પર નથી થતો જ્યાં સાફ સફાઈ ન હોય.
કઠોર વચન
ચાણક્ય નીતિ અનુસાર વ્યક્તિએ હંમેશા મીઠુ બોલવું જોઈએ. મીઠુ બોલનાર વ્યક્તિ સૌનો પ્રિય હોય છે. કઠોર બોલનાર વ્યક્તિ લોકોની સાથે સંબંધ પણ સારા નથી રાખી શકતા. હંમેશા કડવુ બોલનારના ઘર પર માતા લક્ષ્મીનો વાસ નથી થતો.
વધુ ભોજન કરનાર
ચાણક્ય કહે છે કે વ્યક્તિએ ક્યારેય વધારે ભોજન ન કરવું જોઈએ. જરૂરથી વધારે ભોજન કરનાર દરિદ્રતાની તરફ જાય છે. આ ઉપરાંત બિમારીઓ પણ તેમને ઘેરી લે છે. આવા લોકોને અન્ન અને ધનની હંમેશા મુશ્કેલી થાય છે.