મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પ્રશાસન દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો કે જેણે પણ વેક્સિનો એક પણ ડોઝ નથી લીધો તેમને પેટ્રોલ, ગેસ અને કરિયાણું નહી આપવામાં આવે. લોકો વેક્સિન લેવા જાગૃત થાય તેને લઈને પ્રશાસને આ નિર્ણય લીધો છે.
જેણે વેક્સિન નહી લીધી હોય તેને નહી મળે પેટ્રોલ અને કરિયાણું
લોકો વેક્સિન લે તે માટે પ્રશાસને નિયમ અમલમાં મુક્યો
કોરોના સામેની લડાઈ લડવા માટે દેશભરમાં મોટાપાયે વેક્સિનેશન અભિયાન ચલાવામાં આવી રહ્યું છ. અત્યાર સુધીમાં કુલ 109 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. જોકે કોરોનાની સૌથી વધું અસર પહેલાથી મહારાષ્ટ્રમાં જોવા મળી છે. ત્યારે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં હવે પ્રશાસન દ્વારા વેક્સિનને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
વેક્સિન ન લેનારને નહી મળે પેટ્રોલ ગેસ અને કરિયાણું
પ્રસાશન દ્વારા એવા આદેશ આપવામાં આવ્યા છે. કે જે લોકો અત્યાર સુધી વેક્સિનનો એક પણ ડોઝ નથી લીધો તે લોકોને હવે પેટ્રોલ ગેસ અને કરિયાણાનો સામાન નહી આપવામાં આવે. પ્રશાસન દ્વારા આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે. કારણકે લોકો વેક્સિન લેવા માટે જાગૃત થાય.
પર્યટક સ્થળોએ પણ પ્રવેશ નહી મળે
પ્રશાસન દ્વારા એવા આદેશ આપવામાં આવ્યા છે કે જે લોકોએ વેક્સિનના બંને ડોઝ નથી લીધા તે લોકોને પર્યટક સ્થળોએ પણ પ્રવેશ આપવામાં નહી આવે. રાજ્યમાં કોરોના સંક્રમણ શાંત પડતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા 20 નવેમ્બર સુધીમાં 100 ટકા વેક્સિનેશનનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જેમા ખાસ કરીને દરેક હોટલ અને રિસોર્ટમાં કામ કરતા લોકોએ પહેલા વેક્સિન લગાવી પડશે.
વેક્સિનેશન વધારવા પ્રશાસને લીધો કડક નિર્ણય
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં વેક્સિનેશનની ગતી ઘણી ધિમી ચાલી રહી છે. જેથી પીએમ મોદી દ્વારા પણ વેક્સિનેશનને વેગ આપવા આદેશ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં અહીયા માત્ર 55 ટકા લોકોએ વેક્સિન લગાવી છે. જેમા માત્ર 23 ટકા લોકોએજ વેક્સિનના બંને ડોઝ લલગાવ્યા છે. જેથી વેક્સિનેશનને વેગ આપવા માટે પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.