સામુદ્રિક શાસ્ત્ર અનુસાર શરીર પર રહેલા તલનું પણ એક અલગ મહત્વ છે. કહેવામાં આવે છે તે શરીર પર અલગ અલગ જગ્યાએ રહેલા તલ જણાવે છે કે વ્યક્તિનું જીવન કેવુ રહેશે અને તેનુ ભાગ્ય કેવું છે. શરીરના આકાર અને તેના પર રહેલા નિશાનોને લઇને અંદાજ લગાવવામાં આવતો હોય છે કે તે અશુભ છે કે શુભ. તો ચાલો જાણીએ શરીર પર રહેલા તલ વિશે.
શરીર પર રહેલા તલ સૂચવે છે શુભ-અશુભ
તલ શરીર પર કઇ જગ્યાએ છે તે મહત્વનુ
સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે તલનુ મહત્વ
સામુદ્રિક શાસ્ત્રમાં કહેવામાં આવે છે કે જે લોકોના મોઢા પર તલ હોય છે, તે ખુબ ભાગ્યશાળી હોય છે, કહેવામાં આવે છે કે આવા વ્યક્તિઓ પાસે ખુબ પૈસા હોય છે.
જે વ્યક્તિઓની છાતી પર તલ હોય છે તે વ્યક્તિ પોતાના બળ પર જીવનમાં ખુ પૈસા કમાય છે અને સફળ થાય છે. લક્ષ્મીજીની કૃપા આવા લોકો પર બનેલી રહે છે.
જે લોકોને પેટ પર તલ છે તેવા લોકોને આર્થિક રીતે સુખ હોય છે પરંતુ તેવા લોકોને સ્વાસ્થ સંબંધિત સમસ્યાઓથી પિડાવુ પડે છે. તેમના કમાયેલા મોટા ભાગના રૂપિયા હેલ્થ પાછળ જ વપરાય જાય છે.
જમણી બાજુના હાથ પર જેને તલ હોય છે તેવ લોકોની આર્થિક સ્થિતિ હંમેશા મજબૂત રહે છે. તે લોકોને ક્યારેય પણ આર્થિક તંગીથી નથી પિડાવુ પડતું.
જમણી હથેળીના પાછળના હિસ્સામાં જે લોકોને તલ છે તેવા લોકો અપાર ધન અને સંપત્તિના માલિક બને છે. આવા લોકોની ધનની તિજોરી ક્યારેય ખાલી થતી નથી. આવા લોકો ઉંમર વધવાની સાથે સાથે પૈસા પણ વધારે કમાય છે.
સામુદ્રિક શાસ્ત્રમાં કહેવામાં આવ્યુ છે કે જે વ્યક્તિની નાની આંગળી એટલે કે કનિષ્ઠા આંગળી પર તલ હોય છે તેવા લોકો ખુબ જ ધનવાન હોય છે અને સમય સાથે તેવા લોકોની ગણતરી કરોડપતિઓમાં થવા લાગે છે