સરકાર લોકો માટે ઘણીબધી યોજનાઓ લઈને આવતી હોય છે ત્યારે એક યોજનામાં તમને મળશે મહીને 3000 રૂપિયા માત્ર આટલું કરવું પડશે કામ જાણો વિગતવાર
આ યોજનામાં મળશે 3000 રૂપિયા
દર મહિને 55 થી 200 રૂપિયાનું રોકાણ
યોજનાનો લાભ 18 થી 40 વર્ષની વયના લોકોને મળશે
દર મહિને 3000 રૂપિયા મળશે
જનધન ખાતાધારકો માટે એક ખુશખબરી છે. જો તમે પણ આ ખાતું ખોલાવ્યું છે, તો હવે તમને દર મહિને 3000 રૂપિયા મળશે. જે યોજના હેઠળ સરકાર સીધા જ જનતાના ખાતામાં પૈસા જમા કરાવે છે, તે તમામ યોજનાઓના પૈસા પહેલા જનધન ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
ખાતાધારકોને મળશે 3000 રૂપિયા
આજે અમે તમને એક એવી યોજના વિશે જણાવીશું જે અંતર્ગત સરકાર જનધન ખાતાધારકોને દર મહિને પૂરા 3000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ સરકારી યોજનાનું નામ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના છે. આ યોજના હેઠળ મળતા નાણાં પેન્શન તરીકે આપવામાં આવે છે. આ યોજનાનો લાભ જનધન ખાતાધારકને પણ મળે છે.
વાર્ષિક 36 હજાર રૂપિયા
કેન્દ્ર સરકારની માનધન યોજનામાં 18 થી 40 વર્ષની ઉંમરના લોકો માટે ભાગ લઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ 60 વર્ષનો થાય છે, ત્યારે આ યોજનાના પૈસા તેને ટ્રાન્સફર કરવામાં આવે છે. 36,000 વાર્ષિક ટ્રાન્સફર કરવામાં આવે છે.
કોને ફાયદો મળશે ?
આ યોજનાનો લાભ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને મળે છે. ફેરિયાઓ, મધ્યાહન ભોજન કામદારો, હેડ લોડર, ઈંટ ભઠ્ઠાના કામદારો, મોચીઓ, કચરો વીણનારા, ઘરના કામદારો, ધોબી, રિક્ષાચાલકો, જમીન વિહોણા મજૂરો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ સિવાય જો તમારી માસિક આવક 15000 રૂપિયાથી ઓછી હોય તો જ તમે તેનો ફાયદો ઉઠાવી શકો છો.
કયા દસ્તાવેજોની જરૂર પડશે
આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ. આ ઉપરાંત તમારું જનધન ખાતું હોવું પણ જરૂરી છે. તમારે તમારા બચત ખાતાની વિગતો પણ સબમિટ કરવી પડશે.
કેટલું પ્રીમિયમ ચૂકવવું પડશે
આ સ્કીમ હેઠળ વ્યક્તિએ અલગ-અલગ ઉંમર પ્રમાણે દર મહિને 55 થી 200 રૂપિયાનું યોગદાન આપવું પડે છે. જો તમે 18 વર્ષની ઉંમરે આ સ્કીમમાં જોડાશો તો તમારે દર મહિને 55 રૂપિયા ચૂકવવા પડશે. જેની ઉંમર 30 વર્ષ છે તેમને 100 રૂપિયા અને 40 વર્ષવાળાને 200 રૂપિયા ચૂકવવા પડશે. આ સ્કીમમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારી પાસે તમારા સેવિંગ બેંક એકાઉન્ટ અથવા જનધન એકાઉન્ટની આઇએફએસ કોર્ડ હોવો જરૂરી રહેશે. આ સિવાય તમારી પાસે આધાર કાર્ડ અને માન્ય મોબાઇલ નંબર હોવો જોઈએ.