ઘણી વખત અચાનકથી છાતીમાં હળતરતા થાય છે જેને તમે ઇચ્છો તો એ ઠીક કરી શકતા નથી. તેમજ આ બળતરા શરીરમાં ખૂબ જ બેચેની ઉત્પન્ન કરે છે. આ બળતરા છાતીની ઉપર અને નીચેની તરફ હોય છે. છાતીમાં બળતરા આજકાલ નોર્મલ થઇ ગઇ છે.
ખરાબ લાઇફસ્ટાઇલ, જંક ફૂડ, ખોટું ખાવા પીવાનું, મસાલેદાર ખાવાનું , મેદસ્વિતા, તણાવથી પણ એસિડીટી હોય છે અને તમને ગળામાં બળતરા થવા લાગે છે. જ્યારે આ પરેશાની વધારે વધી જાય છે તો છાતીની વચ્ચે દુખાવો, જકડન અને બેચેની થવા લાગે છે. ઘણી વખત તમારી ખોટી લાઇફસ્ટાઇલ. ખરાબ લાઇફસ્ટાઇલ જેવા સમય પર સૂવું નહીં, ખાવાનું નહીં એવામાં બળતરા સામાન્ય વાત છે.
ખાસ કરીને મહિલામાં છાતીમાં બળતરાની સમસ્યા ત્યારે શરૂ હોય છે જ્યારે એ પ્રેગનેન્ચ હોય છે. વધારે નશા કરનારા વાળા વ્યક્તિ, ગર્ભવકી મહિલા અને મેદસ્વિતાના કારણે પણ બળતરાની સમસ્યા થાય છે. ઘણી વખત આ બળતરા એટલી વધી જાય છે કે ડૉક્ટરની મદદ લેવી પડી હતી. આજે અમે તમને એક ઘરેલૂ ઉપાય જણાવવા જઇ રહ્યા છે જેનાથી તમે પરેશાનીથી છુટકારો મેળવી શકે છે.
દૂધ પીવાથી પણ ખતમ થઇ જાય છે બળતર
જો તમારી છાતીમાં સતત બળતરા થઇ રહી છે તો તમે સૌથી પહેલા એક ગ્લાસમાં દૂધ લો અને એને ઠંડું કરી શકો છો. ઠંડા દૂધને પીવાથી તમારી છાતીની બળતરા ખતમ થઇ જશે.
જમવામાં વધારેમાં વધારે લીંબૂનો ઉપયોગ કરો
ઘરડાંનું કહેવું છે કે ખાવામાં લીંબૂનો ઉપયોગ કરવો જોઇએ. સાથે જ ખાવાના 1 કલાક પહેલા લીંબૂના રસમાં મરી મિક્સ કરીને પીવાથી છાતીની બળતરા ઘણી ઠીક થઇ જાય છે.
ખાવાનું ખાતા પહેલા પીવો એલોવેરા જ્યુસ
ખાવાનું ખાતી પહેલા એલોવીરનો જ્યુસ પીવાથી ઘણી હદ સુધી રાહત મળે છે. સાથે જ જમ્યા બાદ વરિયાળી જરૂરથી ખાવ, એનાથી ખાવાનું સરળતાથી પચી જાય છે. તાજા ફુદીનાનો રસ પણ ખૂબ જ ફાયદાકારક છે.