થાઇરોઇડ પોતાની સામાન્ય પ્રક્રિયામા આવી જાય છે અને તેનાથી સ્થાયી રીતે થાઇરોઇડને નુકશાન થતુ નથી. જોકે ઘણીવાર એવુ બને છે કે થાઇરોઇડના પેશન્ટ થોડો પણ ફાયદો થતા ડોક્ટરની સલાહ લીધા વગર દવા લેવાનુ છોડી દે છે.
જો તમે થાઇરોઇડના પેશન્ટ હો અને દવા લેવામાં બેદરકારી દાખવતા હશો તો તમારે કેટલાય પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડશે. ડોક્ટર્સનુ માનવુ છે કે થાઇરોઇડની દવા નિયમિત લેવી જરુરી છે. તેનાથી થાઇરોઇડ પોતાની સામાન્ય પ્રક્રિયામા આવી જાય છે અને તેનાથી સ્થાયી રીતે થાઇરોઇડને નુકશાન થતુ નથી. જોકે ઘણીવાર એવુ બને છે કે થાઇરોઇડના પેશન્ટ થોડો પણ ફાયદો થતા ડોક્ટરની સલાહ લીધા વગર દવા લેવાનુ છોડી દે છે. ડોક્ટરની સલાહ વગર દવા લેવાનુ છોડી દેવાથી તણાવ, બ્લડપ્રેશર, તાવ અને
વજન સંબંધિત ઘણા પ્રકારની બીમારીઓ થઇ શકે છે.
અસંતુલિત હોર્મોન્સ
થાઇરોઇડની દવા હોર્મોન સંતુલિત રાખવામા મદદ કરે છે. નિયમિત રીતે દવા ન લેવા પર હોર્મોન અસંતુલિત થઇ જાય છે. જેની અસર ઘણી બિમારીઓના રુપમાં સામે આવે છે. ખાસ કરીને અચાનક તાવ ચઢવો અને ઉતરવો.
તણાવ
થાઇરોઇડની દવા નિયમિત નહીં લેવાથી ડિપ્રેશન કે સ્ટ્રેસ આવે છે. ડોક્ટર્સનુ માનવુ છે કે ઘણીવાર દર્દીઓ કોઇ કારણ વગર તણાવ અનુભવવા લાગે છે. નાની નાની વાતોમાં પણ જરુરિયાત કરતા વધુ તણાવ લઇને ડિપ્રેશનમાં આવી જાય છે.
યાદશક્તિ
થાઇરોઇડની બિમારીમાં બેદરકારી રાખવાથી યાદશક્તિ સંબંધિત બિમારીઓ થવા લાગે છે. ઘણી વાર યોગ્ય કે નિયમિત દવા નહી લેવાથી યાદશક્તિ પણ નબળી પડે છે.
ડ્રાય સ્કીન
દવા નહી લેવા પર આવશ્યક હોર્મોનની માત્રા ઘટી જાય છે. જેની અસર ત્વચા પર દેખાય છે. તેનાથી ત્વચાનો ભેજ ઘટવા લાગે છે અને ડ્રાયનેસ વધે છે. આ ઉપરાંત વાળનું ખરવુ અને નખનુ તુટવુ જેવા લક્ષણ પણ સામે આવે છે.
બ્લડપ્રેશર અને થાક
એન્ટી થાઇરોઇડ દવા ન લો તેની અસર સીધી તમારા બ્લડપ્રેશર પર પડી શકે છે. અનિયમિતતાના કારણે બ્લડપ્રેશર અચાનક વધી કે ઘટી જાય છે. આ દવા ન લેવાથી વ્યક્તિ કારણ વગર થાક અનુભવે છે. ઘણી વાર એટલી ઉર્જા પણ રહેતી નથી કે વ્યક્તિ સામાન્ય કામ પણ કરી શકે. ક્યારેક તાવ જેવુ પણ લાગે છે
ઇંસુલિન
થાઇરોઇડ હોર્મોન ગ્લુકોઝ મેટોબોલિઝમને સ્થિર રાખવામાં મદદ કરે છે અને આપણા શરીરનું ઇંસુલિન બ્લડ સુગરને નિયંત્રિત રાખે છે. જ્યારે એન્ટી થાઇરોઇડ દવા ન લેવાથી ગ્લુકોઝ ડિસ્પોઝલ ઘટે છે અને તેની અસર શરીરની ઉર્જા પર અને ફેટને બર્ન કરવાની ક્ષમતા પર પડે છે.