90 દિવસમાં તમામ દસ્તાવેજો સાથે બેંક ડિટેલ્સ સબમિટ કરાવવાના રહેશે
State Bank Of Indiaની ઑફર
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટ હોલ્ડર્સ માટે સારી ઓફર છે. SBI જનધન એકાઉન્ટ અને રૂપે ડેબિટ કાર્ડ ધરાવતા ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધીનું મફત ઈમરજન્સી ઇન્શ્યોરન્સ કવર આપવામાં આવે છે. તેથી SBI જનધન એકાઉન્ટ હોલ્ડર્સ મફત વીમાનો લાભ લઈ શકશે.
શું છે પ્રધાનમંત્રી જનધન યોજના?
પ્રધાનમંત્રી જનધન યોજનાનું અમલીકરણ વર્ષ 2014માં શરુ થયું હતું. આ યોજના શરુ કરવા પાછળનો ધ્યેય આર્થિક રીતે નબળા લોકોને ફાયનાન્સિયલ સર્વિસ, બેન્કિંગ સેવિંગ્સ, ડીપોઝીટ એકાઉન્ટસ, ક્રેડીટ, ઇન્શ્યોરન્સ અને પેન્શન વગેરે સર્વિસ પ્રદાન કરવાનું છે. કોઈપણ વ્યક્તિ પોતાના KYC ડોક્યુમેન્ટ્સ SBI બેંકમાં સબમિટ કરાવીને ઓન્લાઈન જનધન એકાઉન્ટ શરુ કરી શકશે, તેમજ પોતાનું બેઝિક સેવિંગ એકાઉન્ટ પણ જનધન એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી શકે છે.
કયા કયા લોકોને મળશે આ લાભ?
જે લોકોના પાસે Jan Dhan Account છે, તેમને બેંક દ્વારા Rupay PMJDY કાર્ડ આપવામાં આવશે. શરૂઆતમાં Rupay PMJDY કાર્ડના વીમાની રકમ 1 લાખ રૂપિયા હતી પરંતુ 28 ઓગસ્ટ, 2018 બાદ ચાલુ રાખેલા રૂપે કાર્ડને 2 લાખ રૂપિયા સુધીનો એક્સીડેન્ટલ કવર બેનિફિટ મળી રહ્યો છે.
કેવી રીતે લેવો આ લાભ ?
ક્લેમ મેળવવા માટે સૌથી પહેલા ક્લેમ ફોર્મ ભરવાનું રહેશે. તેની સાથે જ નીચે દર્શાવેલ જરૂરી દસ્તાવેજો અટેચ કરવાના રહેશે.
1. ઓરીજનલ Death Certificate અથવા એની સર્ટિફાઈડ કોપી
2. FIRની ઓરીજનલ અથવા એની સર્ટિફાઈડ કોપી
3. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને FSL રિપોર્ટ
4. Adharcardની કોપી
કાર્ડહોલ્ડરને બેંક સ્ટેમ્પ પેપર પર રૂપે કાર્ડ રાખવા માટે સોગંદનામું આપવાનું રહેશે. 90 દિવસમાં તમામ દસ્તાવેજો સાથે નોમીનીનું નામ, બેંક ડિટેલ્સ અને પાસબુકની કોપી સબમિટ કરવાની રહેશે.
કેટલા દિવસમાં થશે સમાધાન?
ક્લેમ ફોર્મ અને તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ કરાવ્યા બાદ, 10 દિવસોમાં સમાધાન કરવામાં આવશે. આ લાભ 31 માર્ચ 2022 સુધી વેલિડ રહેશે.