જો દિવસે લાંબો સમય ઉંઘવું તમારો મનપસંદ ટાઇમપાસ છે, તો આ સમાચાર તમારા માટે છે. એક નવા રિસર્ચમાં એવો ઘટસ્ફોટ થયો છે કે જેમ અપુરતી ઉંઘ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેમ વધારે પડતી ઉંઘ પણ આરોગ્ય માટે નુકસાનકારક છે. જે લોકો જરૂર કરતા વધારે સુતા હોય છે તેમને હાર્ટ એટેક એટલે કે સ્ટ્રોક થવાનું જોખમ વધારે હોય છે. મેડિકલ જર્નલ ન્યુરોલોજીમાં પબ્લિશ રિસર્ચ મુજબ જે લોકો દિવસે 30 મિનિટના બદલે 90 મિનિટ એટલે કે દોઢ કલાકથી વધુ સુવે છે તેમને લાંબા ગાળે સ્ટ્રોક થવાની સંભાવના 25 ટકા વધારે હોય છે. જોકે આ રિસર્ચ મુજબ રાતે પુરતી ઉંઘ લેનારા લોકો બપોરે નેપ ન પણ લે તો તેમને પણ સ્ટ્રોકનું જોખમ હોવાનું જણાયું નથી.ઉલ્લ્ખનીય છે કે આપણા આયુર્વેદમાં પણ વામકુક્ષીનો ઉલ્લેખ છે.
અપુરતી ઉંઘ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે
વધારે પડતી ઉંઘ પણ આરોગ્ય માટે નુકસાનકારક છે
બપોરે વધુ સુવાની ટેવ આરોગ્ય માટે ખરાબ હોવાનું પણ કહેવાયું છે
બપોરે વધુ સુવાની ટેવ આરોગ્ય માટે ખરાબ હોવાનું પણ કહેવાયું છે
બપોરે જમ્યા પછી ડાબા પડખે સુઇને દસ-પંદર મિનિટ ઉંઘવાથી લાભ થાય છે તેમ કહેવાયું છે. જોકે બપોરે વધુ સુવાની ટેવ આરોગ્ય માટે ખરાબ હોવાનું પણ કહેવાયું છે. દરમિયાન હ્યુઝહોંગ યુનિવર્સિટીના સાયન્સ એન્ડ ટેકનોલોજીના સંશોધકોના જણાવ્યા મુજબ બપોરે લાંબુ સુતા લોકોના કોલેસ્ટ્રોલના સ્તરમાં પ્રતિકૂળ ફેરફારો થાય છે અને કમરમાં વધારો થાય છે, જે બંને સ્ટ્રોકના જોખમી પરિબળો છે.વધુ પડતી ઉંઘ એકંદરે નિષ્ક્રિય જીવનશૈલી સૂચવે છે, જેને સ્ટ્રોકના જોખમ સાથે સીધો સંબંધ છે.
આ રિસર્ચમમાં ચીનનાં ,31 હજાર જેટલા એવા લોકોને સામેલ કરાયા હતા જેમને કયારેય પણ સ્ટ્રોકની કોઇ સમસ્યા થઇ ન હતી.આ લોકોની સરેરાશ ઉંમર 62 વર્ષની હતી.સંશોધકોએ છ વર્ષ સુધી આ લોકોને ફોલો કર્યા હતા. આ દરમિયાન સ્ટ્રોકના કુલ 1,557 કેસ નોંધાયા હતા.જેમાં જણાયું હતું કે રાત્રે સાત કે ઓછા કલાક ઉંઘતા લોકોની તુલનામાં જે લોકો નવ કલાક કે તેથી વધુ સમય સૂતા હતા તેમને સ્ટ્રોક થવાની સંભાવના 23 ટકા વધારે જણાઇ હતી.આ રિસર્ચમાં એવી બાબત પણ બહાર આવી હતી કે જે લોકો રાતે અને દિવસે વધુ ઉંઘતા હતા તેમને સ્ટ્રોક થવાની સંભાવના 85 ટકા હતી.