શરદી, કફ, ખાંસી અને ગળામાં ખારાશ અને દુખાવાની સમસ્યા હાલ સામાન્ય છે. તેનાથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન અને ઘરેલૂ ઉપાયો કામ આવી શકે છે. ઉધરસની સાથે કફ આવવું અથવા સૂકી ઉધરસ આવવી બંનેમાં પરેશાની થાય છે અને રાતે ઊંઘ આવતી નથી.
રોજ ખાંસી આવતી હોય તો આ ઉપાય અજમાવો
દવાઓ વિના જ ખાંસી મટાડશે આ નુસખા
ઘણીવાર દિવસભર તો ખાંસીની સમસ્યા નોર્મલ હોય છે પરંતુ રાત્રે સૂતી વખતે ખાંસીની સમસ્યા વધવા લાગે છે. તેનાથી ઊંઘ તો ખરાબ થઇ જ જાય છે અને દુખાવો પણ શરૂ થઇ જાય છે. જો તમે પણ ખાંસીથી હેરાન છો જાણો કેટલાક ઉપાય જે તમને ખાંસીમાં રાહત આપવામાં મદદરૂપ સાબિત થશે.
કોગળા કરો
રાત્રે સૂતા પહેલા હુંફાળા પાણીથી કોગળા કરવાનું ભૂલશો નહીં. તેનાથી ગળાની ખરાશમાં રાહત મળશે અને ખાંસી પણ આવશે નહીં. દરરોજ કોગળા કરવાથી થોડાક જ દિવસોમાં ખાંસી ઠીક થઇ જશે.
હર્બલ ચા
એલર્જી થવાથી પણ ખાંસીની પરેશાની થઇ શકે છે. રાત્રે એક કપ હર્બલ ચા પીવાથી ખાંસી આવશે નહીં અને ઊંઘ પણ સારી આવશે.
સૂવાની પદ્ધતિ બદલતા રહો
રાત્રે સૂતી વખતે કરવટ બદલતા રહો. એક દિશામાં સૂઇ રહેવાથી પણ ખાંસી આવી શકે છે. એટલા માટે તમારી આસપાસ સાફ-સફાઇ રાખો.
રાત્રે દહીં ન ખાશો
રાતના સમયે દહીં ખાવાનું ટાળો. રાત્રે તેને પચાવવામાં પણ મુશ્કેલી પડે છે અને તેનાથી પણ ખાંસી વધે છે.
હુંફાળું પાણી પીઓ
શિયાળામાં ઠંડું પાણી પીવાની જગ્યાએ ગરમ પાણીનું જ સેવન કરો. તેનાથી ગળાને રાહત મળે છે અને રાત્રે આવતી ખાંસીની હેરાનગતિથી પણ છૂટકારો મળે છે.
ડોકટરની સલાહ
એક અઠવાડિયાથી પણ વધારે સતત ખાંસી આવી રહી છે તો ડોક્ટરની સલાહ લો. જાતે સારવાર કરવાની જગ્યાએ કોઇ સારા ડૉક્ટરનો સંપર્ક કરો.