અમદાવાદ પોલીસ મોલ અને બજારમાં સરપ્રાઈઝ ચેકિંગ કરશે. જેમની પાસે વેક્સિન સિર્ટિફકેટ નહીં હોય તેમને સમજાવીને વેક્સિન અપાવશે.
તહેવારોમાં કોરોનાને લઇને પોલીસ પણ સતર્ક
પોલીસનું મોલ અને બજારમાં સરપ્રાઈઝ ચેકિંગ
વેક્સિન સિર્ટિફકેટ નહીં હોય તેને અપાશે વેક્સિન
કોરોના સંક્રમણને રોકવા માટે પોલીસ ગમે ત્યારે સરપ્રાઇઝ ચેકિંગ કરી શકે છે અને જો કોઇ વ્યકિતએ માસ્ક નહીં પહેર્યું હોય તો તેમની વિરુદ્ધ દંડની કાર્યવાહી પણ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર એટલી બધી ખતરનાક હતી કે ઠેર ઠેર મોતનું તાંડવ જોવા મળ્યું હતું.108 એમ્બ્યુલન્સ વેઇિટંગમાં આવતી હતી અને હોસ્પિટલની બહાર લાંબી કતાર લાગી હતી. બીજી લહેર માંડ માંડ શાંત થઇ છે ત્યારે ત્રીજી લહેર આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ત્રીજી લહેર આવશે તો લોકોને તેની ઓછી અસર થાય તે માટે રાજ્ય સરકાર અનેક એક્શન પ્લાન તૈયાર કરી રહી છે. તમામ અમદાવાદીઓને વેિક્સન આપી દેવામાં આવે તો ત્રીજી લહેર સામે લડવામાં સફળતા મળે તેવી શક્યતા છે.
વેક્સિન સિર્ટિફકેટ નહીં હોય તેને અપાશે વેક્સિન
હાલ બીજી લહેર જાણે ખતમ થઇ ગઇ હોય તેવું લોકો માની રહ્યા છે. જે આવનારા દિવસોમાં આફતને નોતરી શકે છે. ખરીદીમાં સોશિયલ ડિસ્ટન્ટ જેવું કાંઇ જ નથી રહ્યું કારણ કે લોકોની ભીડ જ એટલી બધી હોય છે કે ડિસ્ટન્સના છડેચોક ધજાગરા ઊડી રહ્યા છે પરંતુ માસ્ક પહેરવું તે એક સમજદારી છે. ભલે સોશિયલ ડિસ્ટન્ટનો અમલ ના થાય પરંતુ માસ્ક પહેરીને કોરોનાની ત્રીજી લહેરને આવતી રોકી શકાય છે. હાલ પોલીસનાં સરપ્રાઇઝ ચેકિંગથી ઘણા લોકો કે જેમણે વેક્સિન નથી લીધી તે સામે આવશે અને તેમને વેક્સિન મળી જશે.
બજારમાં ભીડ -લોકોની આર્થિક પરિસ્થિતિ સુધરી !
સામાન્ય રીતે હાલ ફટાકડા બજાર, કપડાં બજાર, સોના-ચાંદી બજાર સહિતની જગ્યાએ ભારે ભીડ જોવા મળી રહી છે. દિવાળી સેલિબ્રેટ કરવામાં લોકોમાં ઉત્સાહની સાથે સાથે ઉમંગ પણ છે, કારણ કે ગત વર્ષે કોરોનાથી આવેલા લોકડાઉનમાં લોકો આર્થિક રીતે પાયમાલ થઇ ગયા હતા, જેથી મનમૂકીને દિવાળી સેલિબ્રેટ કરી શક્યા નહોતા. આ વર્ષે જે રીતે બજારમાં ભીડ જોવા મળી રહી છે તે જોતાં લાગી રહ્યું છે કે લોકોની આર્થિક પરિસ્થિતિ સુધરી છે. લોકોની ભીડના કારણે પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી ગઇ છે. હાલ પોલીસ સાંજે ફૂટપેટ્રોલિંગ તેમજ સરપ્રાઇઝ ચેકિંગ કરી રહી છે. પોલીસનું કામ હાલ ભીડમાં ગ્રાહકોના સ્વાંગમાં આવતા ચોર અને તસ્કરોને રોકવાનું છે. જ્યારે લોકોએ વેક્સિન લીધી છે કે નહીં તેની પણ ખરાઇ કરવાનું કામ હવે પોલીસ કરશે.