ભાદરવા મહિનાની વદ તિથિમાં શ્રાદ્ઘ કર્મ કરવાનો રિવાજ છે. પૂર્વજો પ્રત્યે શ્રદ્ઘા પ્રગટ કરવાના પર્વને શ્રાદ્ઘ કહેવામાં આવે છે. આ વર્ષ 13 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી શ્રાદ્ઘ ચાલશે. આ ગાળામાં શ્રાદ્ઘ કર્મ કરી શકાય.
માન્યતા અનુસાર, પિતૃપક્ષના માસમાં પૂર્વજો મૃત્યુલોકમાંથી ઉતરીને ધરતી પર આવે છે. આથી તેમને શ્રાદ્ઘ આપવા માટે લોકો નદી કિનારે કે મંદિર જેવા પવિત્ર સ્થાન પર જાય છે અને વિશેષ પૂજા-અર્ચના સાથે પિતૃઓને અર્પણ કરે છે. જે લોકો પિતૃઓ માટે પુણ્ય કર્મ કરે છે તેમના ઘરમાં સદાય સુખ-સમુદ્ઘિ રહે છે. આ ગાળામાં દાન કરવાનું પણ ઘણું મહત્વ રહેવુ છે. જાણો, કઇ ચીજોનું દાન કરવુ જોઇએ...
- પિતૃ પક્ષમાં ગાયને અનાજ ખવડાવવા ઉપરાંગ ગોળ, ઘી, કાળા તલ, મીઠું અને વસ્ત્ર જેવી વસ્તુઓનું દાન કરવુ જોઇએ. અલગ-અલગ ચીજોના દાનનું મહત્વ અલગ હોય છે. ગોળનું દાન કરવાથી ઘરમાંથી કંકાસ દૂર થાય છે જ્યારે ગાયને દાન કરવાથી જીવનમાં અને ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે. ઘીનું દાન કરવાશી શક્તિ વધે છે.
- જે ઘરમાં ધન ના ટકતુ હોય તો કોઇ ગરીબને અનાજનું દાન કરવુ જોઇએ. ભૂમિનું દાન કરવાથી ધન-સંપત્તિમાં વધારો થાય છે.
- જો તમારા જીવનમાં નાના-નાના કામમાં અડચણ આવતી હોય અને સમયસર પૂરા ના થતા હોય તો ગંગા જળ કે શુદ્ઘ જળમાં કાળા તલ નાખો. આ તલને શિવલિંગ પર અર્પણ કરતા ઓમ નમઃ શિવાયનો જાપ કરો. જળ ચડાવ્યા બાદ ફૂલ અને બિલિપત્ર ચડાવો. આ સાથે જ કાળા તલનું દાન કરીને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો.