જો વારંવાર તરસ લાગતી હોય તો એ આંતરડાનાં કેન્સરનું પણ એક લક્ષણ હોઈ શકે છે. જાણો વિગતવાર
વારંવાર તરસ લાગની હોય તો આજે જ ડોક્ટરનો સંપર્ક કરો
ડાયાબિટીસનાં હોઈ શકે છે સંકેત
આંતરડાનાં કેન્સરનું પણ છે આ લક્ષણ
ભારતમાં હાલમાં ગરમીની સીઝન ચાલે છે અને આ દરમિયાન શરીર જલ્દી ડિહાઈડ્રેટ થઇ જાય છે, જેને કારણે આપણને તરસ વધારે લાગે છે, પરંતુ સમયે સમયે પાણી લેવા બાદ પણ જો તમને વારંવાર તરસ લાગી રહી છે, તો આ ગંભીર બિમારીનાં સંકેત હોઈ શકે છે, જેને ઇગ્નોર કરવા ખુદને નુકસાન પહોંચાડવા બરાબર છે.
વારંવાર લાગે છે તરસ?
જરૂરીયાતથી વધારે તરસ લાગવા પર ડોક્ટર ડાયાબિટીસની સલાહ આપે છે કેમકે આ ડાયાબિટીસનું એક સામાન્ય લક્ષણ છે, પરંતુ જો તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં છે, તો આ આંતરડાનું કેન્સર પણ હોઈ શકે છે, જેની સમય પર સારવાર ન કરવામાં આવે તો જીવને પણ ખતરો છે.
આંતરડાનાં કેન્સરની ઓળખાણ કેમ કરવી?
આંતરડાનું કેંસર ધીરે ધીરે શરીરને નુકસાન પહોંચાડે છે અને તેના લક્ષણો પણ જલ્દી જોવા મળતા નથી, પરંતુ તેની વોર્નિંગ સાઈનને ઓળખી ખતરાથી બચી શકાય છે. જો તમારા શરીરમાં અજીબ પ્રકારના લક્ષણો જોવા મળે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.