વ્યક્તિ બે પાંદડે થવા માટે જીવનભર મહેનત કરતો હોય છે પરંતુ ઘણીવાર તે મહેનત કરે તેમ છતાં તેની કિસ્મત બદલાતી નથી. જો તમને આવા સંકેત દેખાય છે તો તમારી કિસ્મત બદલાઇ જવાની છે.
આવા સંકેતોને સમજજો શુભ
તમારા જીવનમાં આવી જશે ખુશીઓ
ધર્મપુરાણોમાં કહેવામાં આવી છે આ વાતો
જ્યોતિષ, ધર્મપુરાણોની નજરોથી જોઇએ તો સુખ કે દુઃખ આવ્યા પહેલા કેટલાક સંકેત આપણને મળે છે. જો તમને આવા સંકેત મળતા હોય તો જલ્દી જ તમારા સારા દિવસો આવવાના છે તેમ માનજો.
આ છે શુભ સંકેત
ઘરની સામે ગાય આવીને ઉભી રહે અને છાણ કરે તો તે ખુબ શુભ માનવામાં આવે છે. તેનાથી ધનલાભ થાય છે અને આવું થાય તો ગાયને રોટલી ખવડાવજો.
જો તમારા ઘરની સામે કે આંગણામાં ચકલી આવીને બેસે અને બોલે તો સમજી લેજો તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. ચકલીને દાણા નાખવા જરૂરી છે.
ઘરના આંગણામાં જો સફેદ કબૂતર આવીને બેસે તો તેને ખુબ શુભ માનવામાં આવ્યું છે.
ઘરથી નીકળતા જ જો પાણી ભરેલું વાસણ દેખાય તો તેને મોટી સફળતા મળવાનો સંકેત સમજજો.
ઘરની સામે જો આંકડાનો છોડ જાતે જ ઉગી જાય તો તેને ખુબ જ શુભ માનવામાં આવે છે. જો કે આવું ખુબ જ ઓછુ થાય છે.
ખુબસુરત પતંગિયા પણ શુભ પ્રતિક છે. જો તમારી આસપાસ રંગબેરંગી પતંગિયા દેખાય તો તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે તેમ માની લેજો.