નવરાત્રી દરમિયાન માતાજીના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીમાં જો પુરી શ્રધ્ધાથી માતાજીની પૂજા કરવામાં આવે તો માતાજી એવા શુભ સંકેત આપે છે.
જેથી આપણને ખૂબ જ સરળતાથી ખ્યાલ આવે કે માતાજીની કૃપા આપણા પર વરસી રહી છે કે નહીં. આજે અમે તમને જણાવશું કે માતાજી ખૂશ થઇને કેવા શુભ સંકેત આપે છે.
નવરાત્રી દરમિયાન જો સપનામાં તમને ઘુવડ નજરે પડે છે તો સમજવું કે માતાજી તમારી ભક્તિથી ખૂશ થઇ રહ્યા છે અને ખૂબ જ જલ્દી તમારા ઘરમાં ધનનો વરસાદ થશે.
આ ઉપરાંત નવરાત્રી દરમિયાન રસ્તામાં તમને સણગાર સજેલી સ્ત્રી જોવા મળે છે તો સમજવું કે તમારા ખરાબ દિવસોનો હવે અંત આવી ગયો છે અને આવનાર દિવસોમાં માતા લક્ષ્મીની તમારા પર કૃપા વરસવા જઇ રહી છે.
આ ઉપરાંત નવરાત્રી દરમિયાન નાળીયેર ફૂલ મંદિરથી નીકળતી ગાય વગેરે જો તમને જોવા મળે તો તે તમારા આવનાર દિવસોની પ્રગતીના સંકેત માનવામાં આવે છે.