કેટલાક લોકો ધર્મમાં રહેલી વાતોને માનતા નથી. તેવા લોકોને કેટલીક બાબતો અંધશ્રદ્ધા લાગે છે, પરંતુ જે ગ્રહ અને નક્ષત્રોની સ્થિતિ બદલાવાથી ભરતી અને ઓટ આવે છે તો તે ગ્રહ અને નક્ષત્રો આપણા જીવન પર પણ અસર કરે છે. આપણા સારા અને ખરાબ દિવસો પણ ગ્રહ અને નક્ષત્રો દ્વારા જ નક્કી થતા હોય છે. જ્યાતિષ શાસ્ત્રમાં રહેલી વાતો અને સંકેત તમારા સારા ખરાબ સમય વિશેની માહિતી આપે છે. કેટલીક બાબતો એવી હોય છે જેને તમારે માનવી જ રહી જેમકે આજે અમે તમને જણાવીશું કે આ સંકેત દેખાય ત્યારે સમજી જવું કે તમારો ખરાબ સમય શરૂ થવાનો છે.
ખરાબ સમયનો સંકેત છે
નક્ષત્રો અને ગ્રહોની સ્થિતિ કરે છે અસર
ચેતતો નર સદા સુખી
1 કોઇ એવો વ્યક્તિ મળે છે જે આપને ક્ષમતાથી વધુ કામ કરાવે છે. અને આપને કામનું શ્રેય પણ નથી મળતું.
2 ખરાબ સમય શરૂ થવાનો હોય તો ઘરનાં કોઇ પાળેલા જાનવર જેમ કે કુતરો, ભેંસ, ગાય કે ઘોડાનું નિધન થઇ જાય છે.
3 ખરાબ સમય શરૂ થાય એટલે તમારા અણીએ આવેલા કામ અટકી જાય છે કે પછી જે કામ પૂર્ણ થવાનાં હોય તે અટકી જાય છે.
4 કોઇ જુની બીમારી અચાનક ફરી ઉથલો મારે છે કે કોઇ નવી ગંભીર રોગ થવાનાં સંકેત મળે છે. આ તમામ ખરાબ સમય શરૂ થવાનાં સંકેત છે.
5 જ્યારે કોઇ વ્યક્તિનો ખરાબ સમય શરૂ થાય છે તો તેની કોઇ મોંઘી વસ્તુ ગૂમ થઇ જાય છે અને ઘણાં પ્રયાસ બાદ પણ તેને મળતી નથી.
6 જમા પૂંજીમાં ઘટાડો થાય છે. આપનાં આવતા પૈસા અટકી જાય છે. અચળ સંપત્તિને નુક્શાન પણ થઇ શકે છે.
7 આપનાં પર કોઇ ખોટો આરોપ લાગી જાય છે. કે આપ કોર્ટનાં કોઇ કેસમાં ફસાંઇ જાઓ છો. આ ખરાબ સમય શરૂ થવાનો એક સંકેત છે.
જો આ પ્રકારના સંકેત દેખાય તો તાત્કાલિક કોઇ પૂજા વિધી કરાવી લેવી, ભગવાનની ભક્તિમાં મન પરોવવું અથવા કોઇ જ્યોતિષી સાથે સંપર્ક કરવો જોઇએ.