સાસણમાં આવેલ ગીર અભ્યારણ જોવા માટે લોકો દેશ વિદેશ થી આવતા હોય છે ત્યારે 16 ઓક્ટોબર ના દિવસે આ ગીર અભ્યારણ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું
સાસણનું ગીર અભ્યારણ પ્રવાસીઓ માટે ખુલ્યું
29 સપ્ટેમ્બરથી ઓનલાઇન બુકિંગ ચાલુ હતું
બુકિંગ ફૂલ પ્રવાસીઓની ભીડ જામી
જૂનાગઢના સાસણ માં આવેલ ગીર અભ્યારણ જોવા માટે લોકો દેશ વિદેશ થી આવતા હોય છે ત્યારે 16 ઓક્ટોબર ના દિવસે આ ગીર અભ્યારણ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે.29 સપ્ટેમ્બરે ઓનલાઇન બુકિંગ ચાલુ કરાયું હતું ત્યારે 22 ઓકટોબર સુધી નું બુકિંગ અત્યાર સુધીમાં ફૂલ થઈ ગયું છે આજે પ્રથમ દિવસે પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં
કોરોના કાળમાં બંધ હતું સિંહ દર્શન
છેલા 2 વર્ષ થી કોરોના કાળ દરમ્યાન અભયારણ્ય થોડા સમય માટે જ ખોલવામાં આવ્યું હતું જેથી પ્રવાસીઓ પણ ખૂબ ઓછા જોવા મળતા હતા ત્યારે હાલ કોરોના હવે નહિ વત છે ત્યારે પ્રવાસીઓની ભીડ ઉમટી પડી છે..ત્યારે ખાસ કરી ને સોનામાં સુગંધની જેમ આ વર્ષે વરસાદ મોડો થવાથી અને સારા પ્રમાણ માં થવાથી જંગલ માં ગ્રીનરી પણ સોળે કળાએ ખીલી છે અને જંગલ માં આવેલ નદી નાળાઓ માં પણ પાણી ભરાયેલા છે જેથી પ્રવાસીઓ ને સિહ દર્શન સાથે કુદરત નો સુંદર નજરો પણ જોવા મળશે.ખાસ કરી ને કોરોના ની ગાઈડ લાઇન ને ધ્યાન માં રાખી માસ્ક, સેનેટાઇઝર જેવી કોરોના ની ગાઈડ લાઈન નું પાલન કરવા પણ પ્રવાસીઓ ને ફરજ પાડવા માં આવે છે..આ વર્ષે દેવળીયા પાર્ક માં પણ 1 લાખ કરતાં વધુ પ્રવાસીઓ સિહ દર્શન નો લાભ લઇ ચૂક્યા છે.અને હજુ પણ પ્રવાસીઓ નો ધસારો વધી રહ્યો છે.
ગીર એક આકર્ષણનું કેન્દ્ર
છેલા બે વર્ષ થી કોરોનાના કારણે લોકો ઘર માંજ પુરાયેલા રહ્યા હતા ત્યારે ત્યારે હાલ કોરોના થોડો હળવો બન્યો છે ત્યારે લોકો હવે પ્રવેશ ના સ્થળો પર ઉમટી પડ્યા છે. અને સાસણ ગીર અભ્યારણ માં સિહ દર્શન કરવા દેશ વિદેશ થી લોકો ઉમટી પડતાં હોય છે ત્યારે હાલ પણ હવે ગીર અભ્યારણ નો આજે પ્રારંભ થતાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.. એશિયાટિક સિંહો દેશ વિદેશ માં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યારે કોરોના બાદ લોકો આ સિહદર્શન નો લાભ લેવા ઉમટી પડયા છે