હનુમાનને જલ્દી પ્રસન્ન થતા દેવતા માનવામાં આવે છે લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અલગ-અલગ રીતે તેમને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરતા હોય છે. પણ ઘણી વખત હનુમાનજીની પૂજા કરવામાં જાણતા અજાણતા એવી ભૂલો કરીયે છીએ જેથી હનુમાનજી કોપાયમાન થાય છે. આવી ચાર ભૂલો કરનાર લોકોને હનુમાનજી ક્યારેય માફ કરતા નથી અને તેમની પૂજાનો સ્વીકાર થતો નથી. અમે તમને જણાવીશું કે કઈ ચાર ભૂલો હનુમાનજી આગળ થવી ન જોઈએ.
કાળા રંગના કપડા પહેરીને હનુમાનજીની પૂજા ન કરાવી જોઈએ. જે પણ ભક્ત કાળા કપડાં પહેરીને હનુમાનજીની પૂજા કરે છે તેની પૂજા સફળ થતી નથી અને ઉપરથી પવનદેવ તેના પર કોપાયમાન થાય છે. પૂજા કરતી વખતે લાલ અથવા પીળા રંગના કપડાં પહેરવા જોઈએ.
શાસ્ત્રો મુજબ કોઈ પણ દેવી દેવતાની ખંડિત મૂર્તિની પુજા કરાવી અશુભ માનવામાં આવે છે. જે પણ ભક્ત બજરંગીની ખંડિત મૂર્તિની પૂજા કરે છે તેની પૂજા ક્યારેય સફળ થતી નથી.
આવા ભક્તો જો માંસ અને મદિરાનું સેવન કરી હનુમાન મંદિર આવે અને પૂજા કરે તો બજરંગબાલી ક્યારેય તેમના પર કૃપા નથી વરસાવતા. જો ભક્ત હનુમાનજીની પુજા ખુબ શ્રદ્ધાથી કરે પણ મહિલાઓનું અપમાન કરે તો આવા ભક્તોની પૂજાનો પણ પવનસુત સ્વીકાર નથી કરતા.