જો તમારુ પણ જનધન ખાતુ છે તો તેમાં બદલાવ કરી લો જેથી નવા ફાયદા તમને મળે. જો તમારા ખાતામાં ફેરફાર નહી હોય તો તમને નુકસાન થશે.
જનધન ખાતાધારક નથી ?
નવું ખાતુ ખોલાવવાની જરૂર નથી
તમારુ કોઇ પણ ખાતુ થઇ જશે કન્વર્ટ
તમારી પાસે જનધન ખાતુ નથી અને તમારે ખાતુ ખોલાવવું છે તો નવુ ખાતુ ખોલાવવાની જરૂર નથી. તમારા જૂના અકાઉન્ટને જ જનધનમાં કનવર્ટ કરાવી શકો છો. જેના માટે તમારે બેન્કની બ્રાંચમાં જવુ પડશે અને ત્યાં જઇને ફોર્મ ભરી રુપે કાર્ડ માટે આવેદન કરવુ પડશે. આ ફોર્મ સબમિટ કર્યા બાદ તમારુ ખાતુ જનધનમાં કનવર્ટ થઇ જશે.
જનધન ખાતાના ફાયદા
ડિપોઝીટ પર વ્યાજ મળે છે અને તે સિવાય મોબાઇલ બેન્કિંગની પણ સુવિધા આપવામાં આવે છે. જનધન ખાતુ છે તો તમે ઓવરડ્રાફ્ટ દ્વારા 10000 રૂપિયા સુધી પૈસા કાઢી શકો છો પરંતુ આ સુવિધા થોડા મહિના બાદ મળે છે.
આ ફાયદા પણ મળે છે
આ સાથે જ બે લાખ રૂપિયા સુધીનો એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ કવર મળે છે. 30000 રુપિયા સુધીનું લાઇફ કવર અને જો લાભાર્થીની મૃત્યુ પર યોગ્યતા શરતો પૂરી થવા પર મળે છે. જનધન ખાતુ ખાલવા પર રુપે ડેબિટ કાર્ડ મળે છે જેનાથી પૈસા નીકળી શકે છે અને ખરીદી પણ થઇ શકે છે.
મિનીમમ બેલેન્સ રાખવાની મુશ્કેલી નહી
PMJDY હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં મિનીમમ બેલેન્સ મેઇન્ટેન કરવાની જરૂર હોતી નથી. જો ચેકબુકની સુવિધા જોઇએ છે તો તમારે મિનીમમ બેલેન્સ મેઇન્ટેન કરવુ પડશે.
નવુ ખાતુ ખોલવુ હોય તો
જો તમારે નવુ જનધન ખાતુ ખોલવુ હશે તો તમારે નજીકની બેન્કમાં જવુ પડશે અને ફોર્મ ભરવુ પડશે તેમાં તમારી બધી ડિટેલ્સ ભરીને અપ્લાય કરવુ પડશે. પોતાનું નામ, એડ્રેસ, મોબાઇલ નંબર, બ્રાંચનું નામ, એસએસએ કોર્ડ નંબર વગેરે ભરીને સબમિટ કરી દેવાનું રહેશે.
આ ડૉક્યુમેન્ટ જરૂરી
PMJDYની વેબસાઇટ અનુસાર પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, પેનકાર્ડ નંબર, વોટર આઇડી કાર્ડ જેવા દસ્તાવેજ દ્વારા તમારુ જનધન ખાતુ ખુલી જશે.