ભારતની સૌથી મોટી સરકારી બેન્ક SBIને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. તમારુ અકાઉન્ટ પણ SBIમાં છે તો તાત્કાલિક આ બદલાવ કરી લેજો નહીતર મોટી તકલીફ થઇ જશે.
SBIના ગ્રાહકો ખાસ ધ્યાન રાખજો
30 જૂન પહેલા કરી લો આ એક કામ
ખાતામાં રહેલા પૈસા પણ નહી ઉપાડી શકો
SBIના બધા ગ્રાહકો માટે મોટા સમાચાર છે અને તે PAN અને આધારકાર્ડને લઇને છે. બેન્કમાં પૅન તેમજ આધારકાર્ડ લિંક કરાવવાની છેલ્લી તારીખ 30 જૂન છે. જો તમે 30 જૂન 2021 સુધી લિંક નહી કરાવો તો તમારુ અકાઉન્ટ સસપેન્ડ થઇ જશે.
SBIએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. જો તમે 30 જૂન સુધી પાનકાર્ડને આધાર સાથે લિંક નહી કરાવો તો પાનકાર્ડ ઇનએક્ટિવ થઇ જશે અને જેના કારણે ગ્રાહકોને ટ્રાંજેક્શનમાં પરેશાની થશે. સાથે જ બેન્ક અકાઉન્ટ સસપેન્ડ થવા પર ખાતામાં રહેલા પૈસા પણ ફ્રીઝ થઇ જશે. જે બાદ ગ્રાહકો પૈસા પણ નહી કાઢી શકે. સાથે જ કોઇ પણ સરકારી યોજના પર સબસિડી કે લાભ નહી મળે
ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે પેન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2021 નક્કી કરી છે. જો તમે 30 જૂન સુધી આવું નહી કરો તો તમારુ પાનકાર્ડ નિષ્ક્રિય થઇ જશે અને બાદમાં તમે જ્યારે રિએક્ટિવેટ કરાવવા જશો તો 1000 રૂપિયા દંડ આપવો પડશે.
બેન્ક ગયા વગર કરો KYC અપડેટ
SBIએ કહ્યું કે KYC અપડેટ કરવા માટે ગ્રાહકોએ બેન્ક સુધી આવવાની જરૂર નથી. KYC અપડેશન માટે તમે મેઇલ કરીને પણ રિકવેસ્ટ કરી શકો છો.
KYC અપડેટ ક્યારે કરવાનુ હોય છે
તમને જણાવી દઇએ કે ગ્રાહકોની રેટિંગ તેમના રિસ્કના આધાર પર કરવામાં આવે છે. વધારે રિસ્ક લેનાર ગ્રાહકોને 2 વર્ષમાં એક વાર અને મિડીયમ રિસ્ક લેનાર ગ્રાહકોએ 8 વર્ષમાં એકવાર KYC અપડેટ કરાવવી પડે છે.