બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જો લોન લેનાર વ્યક્તિનું જ મૃત્યુ થઇ જાય, તો પછી ભરપાઇની જવાબદારી કોની? ખરેખર નિયમ જાણવા જેવો

તમારા કામનું / જો લોન લેનાર વ્યક્તિનું જ મૃત્યુ થઇ જાય, તો પછી ભરપાઇની જવાબદારી કોની? ખરેખર નિયમ જાણવા જેવો

Last Updated: 05:36 PM, 21 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંક લોનની સુવિધા એવી છે જેનાથી હવે લોકોને કોઈ વ્યાજખોર સામે હાથ નથી ફેલાવવો પડતો. હવે બેંક જીવનના લગભગ દરેક કામ માટે લોન આપે છે. જેમાં હોમ, કાર સહિતની લોન સામેલ છે. પરંતુ જો લોન લેનાર વ્યક્તિનું અવસાન થઇ જાય તો બાકી રહેલ રકમનું શું થાય ? બાકી રહેલ લોન બેંકવાળા માફ કરી દે છે? આ બધા પ્રશ્નના જવાબ જાણવાનો પ્રયાસ કરીશું.

જીવનમાં અનેક વખત એવી સ્થિતિ આવે છે જેમાં આપણને આર્થિક મદદની જરૂર પડે છે. કોઈને ભણતર માટે, મકાન માટે કે વાહન ખરીદવા જેવી બાબતે પૈસાની જરૂર પડે છે. આ માટે તેઓ લોન પણ લેતા હોય છે. જો કોઈએ કાર, હોમ કે પર્સનલ લોન લીધી હોય પરંતુ તે દરમિયાન તેનું મૃત્યુ થઈ જાય તો શું થાય? બાકી રહેલી લોનનુ શું થાય? તે અંગેના નિયમ વિશે આજે જાણવાનો પ્રયાસ કરીશું.

1200_628 ad 1

હોમ લોન

જ્યારે હોમ લોન લેવામાં આવે છે ત્યારે ઘરના દસ્તાવેજ ગીરવે મૂકવા પડે છે. જો લોન પૂરી ન થઈ હોય અને તે દરમિયાન જ વ્યક્તિનું અવસાન થઈ જાય તો લોનની જવાબદારી કો - બોરોવરની હોય છે. કે પછી ઉત્તરાધિકારીને હોમ લોન ચૂકવવી પડે છે. આ સિવાય તેમને બીજો વિકલ્પ પણ આપવામાં આવે છે. જેમાં ગીરવે રાખેલ મકાન વેચીને લોનની બાકી રકમ ભરવાનો વિકલ્પ આપવામાં આવે છે. હવે બેંકે નવો વિકલ્પ પણ અપનાવ્યો છે. હોમ લોન લેતી વખતે બેંક દ્વારા ઇન્શ્યોરન્સ કરાવી લેવામાં આવે છે. જો વ્યક્તિનું અવસાન થઈ જાય તો બેંક દ્વારા ઇન્શ્યોરન્સથી પૈસા વસૂલી લેવામાં આવે છે.

loananan

કાર લોન

હોમ લોનની માફક કાર લોન પણ સિક્યોર્ડ લોન હોય છે. જો વચ્ચે લોન લેનારનું અવસાન થઈ જાય તો પરિવારજનોને લોનની ભરપાઈ કરવાનું કહેવામાં આવે છે. જો પરિજન લોન ના ભરી શકે તો કાર વેચીને બેંક પૈસા વસૂલે છે.

વધુ વાંચો: માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ચાલુ સ્કૂલવાનનો દરવાજો ખુલી જતાં વિદ્યાર્થિનીઓ રસ્તા પર પટકાઇ

PROMOTIONAL 11

પર્સનલ લોન

પર્સનલ લોનમાં નિયમ હોમ લોન કે કાર લોન જેવો નથી હોતો. જો પર્સનલ લોન લેનારનું વચ્ચે જ અવસાન થઈ જાય તો બેંક કોઈ બીજા વ્યક્તિ પાસેથી લોન નથી વસૂલી શકતી. વ્યક્તિના મોત બાદ લોન પણ ખતમ થઈ જાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Personal Loan Business News Home Loan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ