આપણે બધા ઇચ્છીએ છીએ કે આપણો પરિવાર ખુશ રહે અને પરિવારની ખુશી માટે આપણે બધુ કરવા તૈયાર હોઇએ છીએ. પરિવારને સુખી રાખવો હોય તો મોઘાદાટ પેકેજો લઇને ડિઝની વર્લ્ડ કે મસમોટા હોલિડેનું આયોજન કરવાની જરૂર નથી.
પરંતુ ઘરે રહીને પરિવારજનોં સાથે ક્વોલીટી ટાઇમ વિતાવવાથી અને ઘરમાં જ આપણી પરિચિત પ્રવૃતિઓ કરવાથી કુટુંબીજનોમાં સુખ સંતોષ અને આનંદની લાગણી વધે છે. તમને જણાવી દઇએ કે આ વાતની જાણ એક રિસર્ચ દરમિયાન થઇ છે.
આ તારણ પર પહોંચવા માટે સંશોધકોએ મિનિમમ એક સંતાન ધરાવતાં 884 કુટુંબોના 1502 લોકોનો અભ્યાસ કર્યો હતો. અને તેમને જાણવા મળ્યું હતું કે જ્યારે નવી જગ્યાએ ફરવા જઇએ ત્યારે આપણું મગજ ત્યાંથી મળતી નવી ઇન્ફર્મેશનને પચાવવામાં જ પોતાની શકિત ખર્ચી નાખે છે અને પરિવાર માટે વધુ એનર્જી બચતી જ નથી.
જ્યારે ઘરના પરિચિત વાતવરણમાં મગજને આવો શ્રમ પડતો નથી. જેથી પરિવાર સાથે મળીને જાણીતી પ્રવૃતિઓ કરે તો એનાથી પરિવારજનોં વચ્ચેના બોન્ડ વધુ મજબૂત બને છે. જોકે આજકાલ મોટાભાગના લોકો એક જ બાળક લાવતા હોય છે. અને પછી તેમને મોંઢે ચઢાવતા હોય છે એટલે કે પોતાના બાળકની અનેક જરૂરિયાતો મા-બાપ પૂરી કરી દેતા હોય છે.
પરંતુ તમને જણાવી દઇએ કે જો તમે તમારા બાળકની બધી જ જરૂરિયાત પૂરી કરી દેશો તો આ ટેવ તમને જ ભવિષ્યમાં પ્રોબલેમમાં મુકી દેશે. એટલે આજે અમે તમને જણાવ્યું તેમ તમે તમારા બાળકનો ફરવા લઇ જવાની બદલે તેને જોઇન્ટ ફેમિલી સાથે રહેવાની ટેવ પાડો.