રવિવારને સૂર્યની ઉપાસના માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. કુંડળીના દોષોથી મુક્તિ મેળવવા માટે રવિવારે પણ ખાસ ઉપાય કરવામાં આવે છે.
રવિવારે આ કામ ન કરતાં નહીતર...
કેટલીક વસ્તુઓ ખરીદવાની મનાઇ છે
ધર્મ પ્રમાણે ન ખરીદતાં આ વસ્તુઓ
આ સિવાય એવું માનવામાં આવે છે કે સૂર્યદેવની કૃપા મેળવવા માટે આ દિવસે ઉપવાસ કરવાથી પણ લાભ થાય છે. સામાન્ય રીતે રવિવાર રજાનો દિવસ હોય છે. મોટાભાગના લોકો આ દિવસે ખરીદી કરવાનું પસંદ કરે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારે કેટલીક વસ્તુઓ ખરીદવાની મનાઈ છે.
રવિવારે આ વસ્તુઓ ખરીદવી અશુભ છે
મોટાભાગના લોકો રવિવારે ખરીદી કરવાનું પસંદ કરે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારે લોખંડનો સામાન ખરીદવો અશુભ છે. તેને ખરીદવાથી આર્થિક નુકસાન થાય છે. તેની સાથે જ દેવી લક્ષ્મી ઘરની બહાર નીકળે છે. આ સિવાય હાર્ડવેર, કાર એસેસરીઝ, ફર્નિચર, ઘર બનાવવાની વસ્તુઓ અને બાગકામની વસ્તુઓ પણ આ દિવસે ન ખરીદવી જોઈએ.
રવિવારે શું કરવાની મનાઈ છે
રવિવારે મીઠું ન ખાવું જોઈએ. કારણ કે તેની અસર સ્વાસ્થ્ય પર પડે છે. તેની સાથે કામમાં અડચણો આવે. કાળો, વાદળી, ભૂરો અને રાખોડી રંગના કપડાં રવિવારે ન પહેરવા જોઈએ. રવિવારે તાંબાની વસ્તુઓ ન વેચવી જોઈએ. રવિવારે વાળ કાપવાથી કુંડળીમાં સૂર્ય નબળો પડે છે. તેથી રવિવારે વાળ કાપવાનું ટાળવું જોઈએ. આ સિવાય રવિવારે માંસ અને આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે શનિ સંબંધિત વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. બીજી તરફ રવિવારે લાલ રંગની વસ્તુઓ, પાકીટ, કાતર, ઘઉં વગેરે ખરીદવું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રવિવારે આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.