નાણાંકીય સંકટ સામે લડી રહેલી યસ બેંકને બહાર લાવવા માટે ભારતીય રિઝર્વ બેંકે કેટલાક ખાસ પગલાં લીધા છે. કેન્દ્રીય બેંકે યસ બેંકના ગ્રાહકો પર 50 હજાર રૂપિયા સુધીની રકમ કાઢવાની સીમા નક્કી કરી છે. આ સાથે જ યસ બેંકે પણ બોર્ડને નિયંત્રણમાં લીધું છે અને સાથે જ ગ્રાહકોના હિતની રક્ષા કરવા માટે આ નિર્ણય લીધો છે. ભારતીય સ્ટેટ બેંક અને LICની તરફથી યસ બેંકમાં પણ હિસ્સેદારી ખરીદી શકાય તેમ છે.
YES બેંકની સ્થિતિ કથળી, શેરની કિંમત 50 ટકા સુધી ઘટી
ગ્રાહકોમાં રૂપિયા ડૂબી જવાના ભયના કારણે દોડાદોડ
યસ બેંકમાં એકાઉન્ટ છે તો જાણી લો 4 વાતો
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ યસ (YES) બેંક પર નિયંત્રણ લગાવ્યા છે. યસ બેંકની આર્થિક સ્થિતિને ધ્યાને રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. જાણકારોના કહેવા મુજબ યસ બેંકના ગ્રાહકો આગામી એક મહિના સુધી રૂપિયા 50 હજાર સુધીની જ રકમ ઉપાડી શકાશે.નિયમના કારણે ખાતેદારો ટેન્શનમાં મૂકાયા છે અને સાથે જ પોતાના રૂપિયા ડૂબે નહીં તે માટેના પ્રયાસો કરી રહ્યા છે. અનેક લોકો એટીએમ કામ ન કરવાના કારણે પણ ટેન્શનમાં મૂકાયા છે. જો તમારું પણ યસ બેંકમાં ખાતું છે તો તમે આ કામ કરી લો તે જરૂરી છે.
1 ફક્ત 50 હજાર રૂપિયા સુધીની જ રકમ કાઢી શકશો
યસ બેંકના ગ્રાહકોના હિતની રક્ષા કરવા માટે ભારતીય સ્ટેટ બેંકે યસ બેંકથી એકાઉન્ટ દીઠ 50 હજાર રૂપિયા સુધીની રકમ કાઢવાની છૂટ આપી છે. એટલે કે ભલે તમારા એકાઉન્ટમાં ગમે તેટલા રૂપિયા હોય તમે ફક્ત 50 000 રૂપિયા જ કાઢી શકશો. હાલમાં આ પ્રતિબંધ 30 દિવસ સુધી લગાવવામાં આવ્યો છે એટલે કે ગઈકાલથી લગાવવામાં આવેલો આ પ્રતિબંધ 3 એપ્રિલ સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે યસ બેંકને બોર્ડને પણ પોતાના નિયંત્રણમાં લઈ લીધું છે.
2. દરેક ખાતામાંથી 5 લાખ રૂપિયા કાઢવાની શરત
એવું નથી કે તમે કોઈ પણ સ્થિતિમાં 50 હજાર રૂપિયાથી વધારે કાઢી શકશો નહીં. ભારતીય રિઝર્વ બેંકે કેટલીક પરિસ્થિતિ નક્કી કરી છે જેમાં તમે 50 હજાર રૂપિયાથી વધારે રૂપિયા કાઢી શકશો. બેંકે ચોખ્ખું કહ્યું છે કે તમને કોઈ મેડિકલ ઈમરજન્સી છે તો તમે વધારે એજ્યુકેશન ફી આપવી છે કે પછી તમારા ઘરમાં લગ્ન છે તો તમે પાંચ લાખ રૂપિયા કાઢી શકો છો.
3. હાલ સુધી જાહેર કરાયેલા ડ્રાફ્ટ કે પે ઓર્ડરની ચુકવણી
એવા કેટલાક કેસ છે જેમાં 5 માર્ચે ભારતીય રિઝર્વ બેંકની તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ પહેલાં વધારે રાશિ કે ડ્રાફ્ટ કે પે ઓર્ડર જાહેર કર્યા છે. કેટલાક લોકોને તેને લઈને કન્ફ્યુઝન છે કે હવે તેઓને સંપૂર્ણ રકમ મળશે કે નહીં. ઉલ્લેખનીય છે કે ડ્રાફ્ટ કે પે ઓર્ડર ભારતીય રિઝર્વ બેંકના આદેશ પહેલાં જાહેર કરાયા છે. તેમની સંપૂર્ણ રાશિની ચૂકવણી કરાશે.
4. SBI, LIC ખરીદશે યસ બેંકની ભાગીદારી
નાણાંકીય સંકટની સામે લડી રહેલી યસ બેંકને ડૂબવાથી બચાવવાને માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પહેલાં પણ કેટલાક મહત્વપૂર્ણ પગલા લીધા છે, જેમાં એસબીઆઈ અને એલઆઈસી યસ બેંકમાં 49% હિસ્સો લેશે. ઉલ્લેખનીય છે કે બંને 24.5 ટકા હિસ્સો લેશે. આ કરીને યસ બેંકને બચાવવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે, જેથી ગ્રાહકોના હિતોનું રક્ષણ થઈ શકે. નાણાકીય સંકટનો સામનો કરી રહેલી યસ બેંકમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભાગીદારી લેશે તેવા સમાચારથી યસ બેન્ક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બંનેના શેર ઘટતા રહ્યા છે.
ભારતીય રિઝર્વ બેંકે હવે આ મર્યાદા 1 મહિના એટલે કે 30 દિવસ માટે લાગુ કરી છે, જે 5 માર્ચથી 3 એપ્રિલ સુધી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે મુંબઈમાં કહ્યું છે કે 30 દિવસની મર્યાદા નક્કી કરવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી તમે ટૂંક સમયમાં આ દિશામાં કાર્યવાહી જોશો.