જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ દોષોને દૂર કરવા માટે અનેક પ્રકારના ઉપાયો જણાવવામાં આવે છે જો તમે શનિના કોપથી પરેશાન છો તો આજે એક એવા જ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
શું કાર્યોમાં ધારેલી સફળતા નથી મળતી ?
કાળા મરીના ઉપાયથી શનિ દોષને કરી શકશો દૂર
સુખ-સમૃદ્ધિના દ્વાર ખોલવા આજે જ અપનાવો આ ઉપાય
જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ દોષોને દૂર કરવા માટે અનેક પ્રકારના ઉપાયો જણાવવામાં આવે છે અને તેમાંથી કેટલાક ઉપાયો તો એટલા અસરકારક માનવામાં આવે છે કે તેને અજમાવ્યા પછી તરત જ તેની અસર દેખાવા લાગે છે. જો તમે શનિના કોપથી પરેશાન છો તો આજે એક એવા જ ઉપાય વિશે આપણે વાત કરીશું.
કાળા મરીનો આ ટોટકો બચાવશે શનિ પ્રકોપથી
વ્યક્તિને ઘણી વખત સખત મહેનત કરવા છતાં કાર્યોમાં સફળતા નથી મળતી. તેનું કારણ ગ્રહદોષ અથવા નસીબનો અભાવ હોઈ શકે છે. જોકે, નિરાશ થવાની જરૂર નથી. જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ દોષોને દૂર કરવા માટે ઘણા અસરકારક ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો અપનાવવાથી વ્યક્તિ પોતાનું જીવન સુધારી શકે છે. કાળા મરી પણ આ ઉપાયોમાંથી જ એક છે. તેના ટોટકા એટલા અસરકારક હોય છે કે શનિ દોષનો પ્રભાવ ઓછો થવા લાગે છે અને દરેક કાર્યમાં સફળતા મળવા લાગે છે.
શનિ દોષ
કાળા મરીના ઉપાયથી શનિ દોષને પણ દૂર કરી શકાય છે.તેના માટે 11 રૂપિયા અને થોડા કાળા મરીના દાણાને કાળા કપડામાં બાંધીને શનિ મંદિરમાં મૂકી દો કે કોઈને દાન કરી દો. આમ કરવાથી કુંડળીમાં રહેલો શનિ દોષ દૂર થાય છે.
આર્થિક તંગી
આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે કાળા મરીના 5 દાણા લઈને તેને માથા પરથી 7 વાર ફેરવો અને તેને રાત્રીના સમયે કોઈ નિર્જન જગ્યાએ અથવા ચોક પર જઈને ચાર અલગ-અલગ દિશામાં ફેંકી દો અને બાકી બચેલો એક દાણો આકાશ તરફ ફેંકી દો અને ઘરે પાછા ફરો અને આ કર્યા પછી પાછું ફરીને ન જોવું જોઈએ.
બાધાઓ દૂર કરવા
ઘરની બહાર નીકળતી વખતે ઘરના મુખ્ય દરવાજા પર કાળા મરી રાખી દો. તેના પછી જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે આ કાળા મરીના દાણા ઉપરથી તમારો જમણો પગ રાખીને નીકળો. આનાથી તમારા કામમાં આવતી અડચણો કે બાધાઓ દૂર થઈ જાય છે અને દરેક અટકેલું કામ બનવા માંડે છે.
મુશ્કેલીઓ દૂર કરવા માટે
સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે પણ કાળા મરીના સચોટ ઉપાયો કરી શકાય છે. આ માટે, અમાસના દિવસે કે પૂનમના દિવસે, કાળા મરીના થોડા દાણા લો અને ઓમ ક્લીં મંત્રનો જાપ કરતાં કરતાં પરિવારના સભ્યોના માથા પરથી ઉતારી લો અને દક્ષિણ દિશામાં ફેંકી દો. તેનાથી જીવનમાં આવતી દરેક પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિના દ્વાર પણ ખુલે છે.