રાજામૌલીએ કહ્યું હતું કે ' આ સમયે જે હિન્દુત્વ છે ઘણા લોકો તેને ધર્મ માને છે અને આજના હિન્દુત્વ હિસાબે જોવા જઈએ તો એ હિંદુ નથી.'
આજના હિન્દુત્વ હિસાબે જોવા જઈએ તો હું હિંદુ નથી - રાજામૌલી
રાજામૌલી ભગવાનમાં વિશ્વાસ નથી રાખતા
લોકો એ રાજામૌલીને કર્યા ટ્રોલ
'બાહુબલી' અને RRR જેવી શાનદાર ફિલ્મો બનાવનાર ડિરેક્ટર એસએસ રાજામૌલીનું એક નિવેદન હાલ ઘણું વાયરલ થઈ રહ્યું છે. 'બિયોન્ડ ફેસ્ટ'માં રાજામૌલીની ફિલ્મો પર એક સેશન ચાલી રહ્યું હતું. જેમાં રાજામૌલીએ કહ્યું હતું કે ' આ સમયે જે હિન્દુત્વ છે ઘણા લોકો તેને ધર્મ માને છે અને આજના હિન્દુત્વ હિસાબે જોવા જઈએ તો એ હિંદુ નથી.'
કઇંક આવું બોલ્યા રાજામૌલી
એલ ઇવેંટમાં એમને કહ્યું હતું કે, 'ઘણા લોકોને લાગે છે કે આજનું હિન્દુત્વ એક ધર્મ છે. પરંતુ આ હિંદુત્વના ઘણા સમય પહેલા એક હિંદુ ધર્મ રહ્યો છે જે એક જીવનશૈલી છે એક ફિલોસોફી છે. જો તમે હિંદુત્વની વાત કરો છો તો હું હિંદુ નથી. પણ જો તમે એ હિંદુ ધર્મની વાત કરો તો હું હિંદુ છું. મારી ફિલ્મોમાં હું જે દેખાડું છું એ એક જીવનશૈલી છે જે સદીઓ અને અનંતકાળથી ચાલતી આવે છે.'
લોકો એ રાજામૌલીને કર્યા ટ્રોલ
પોતાની વાતને આગળ વધારતા રાજામૌલીએ એમ પણ કહ્યું હતું કે RRR માં રામ ચરણે જે ભગવદ ગીતાનો શ્લોક બોલ્યો હતો તેને તમે ભગવાન કૃષ્ણના અર્જુનને આપેલા સંદેશ તરીકે જોશો તો તે હિન્દી ધર્મની શિક્ષા હશે પણ તમે તેનો અર્થ સમજો છો તો એ અઆપણે દરેક ભારતીયને શિખાડવામાં આવ્યું છે, પછી ભલે તે કોઈ પણ જાતિનો હોય કે જ્યાં પણ તેનો જન્મ થયો હોય. રાજામૌલીના આ નિવેદનને કારણે સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.
રાજામૌલી ભગવાનમાં વિશ્વાસ નથી રાખતા
રાજામૌલી જેઓ આટલી શાનદાર રીતે ધાર્મિક વાર્તાઓને તેમની ફિલ્મોમાં પ્લોટ એલિમેન્ટ તરીકે લે છે તે રાજામૌલી પોતે જ ભગવાનમાં નથી માનતા! જો કે રાજામૌલી પોતે પણ અનેક વખત લોકો વચ્ચે આ વાત કરીને તેને સ્વીકારી છે. તેઓ પોતાને 'એગ્નોસ્ટિક' કહે છે એટલે કે તેઓ ભગવાનવાળી ફિલોસોફીમાં નથી માનતા. એ, છતાં પણ આવી વાતોને તેઓ તેમની ફિલ્મમાં સારી રીતે બતાવે છે.
રાજામૌલી પૌરાણિક કથાને વાતને ફિલ્મોમાં કેવી રીતે દર્શાવે છે?
રાજામૌલીએ એક ઇંટરવ્યૂમાં આ પ્રશ્ન પર વિગતવાર વાત કરતાં કહ્યું હતું કે 'મારા વ્યક્તિગત અભિપ્રાય, મારા વિચારો અને મારી જીવનશૈલીને મારા કામ સાથે કોઈ લેવાદેવા નથી. હું બંનેને સંપૂર્ણપણે અલગ રાખું છું. પ્રોફેશનલી હું અલગ છું. હું મારા પાત્રો અથવા મારી વાર્તા કહેવા પર મારા વિચારો લાદવાનો પ્રયાસ કરતો નથી.હું ભલે ભગવાનમાં નથી માનતો પણ હું ફિલ્મોમાં ભક્ત અને ભગવાન વચ્ચેની લાગણી સાથે જોડાણ અનુભવું છું અને હું એવી લાગણી સાથે કનેક્ટ કરી શકું છું જે જનતાને ગમે છે.'