IRCTC કોલકાતાથી બેંગકોક સુધીની હવાઈ મુસાફરી કરાવશે. આ યાત્રા નવા વર્ષમાં શરૂ કરવામાં આવશે.
IRCTC સાથે કરો બેંગકોકની સફર
IRCTC લઈને આવ્યું ખાસ ટૂરપેકેજ
જાણો કેટલો થશે ખર્ચ
જો તમે થાઈલેન્ડ ફરવા માંગો છો, તો IRCTC તમારા માટે ખાસ ટૂર પેકેજ લઈને આવ્યું છે. તમે થાઈલેન્ડમાં 6 દિવસ આરામથી ફરી શકો છો. અહીં તમે બેંગકોક અને પટાયાની મુલાકાત લઈ શકો છો. આ ટૂર પેકેજ નવા વર્ષ દરમિયાન શરૂ કરવામાં આવશે. IRCTC તમને હવાઈ માર્ગે ભારતથી થાઈલેન્ડ લઈ જશે. તમને જણાવી દઈએ કે આ ટૂર પેકેજમાં તમને કઈ સુવિધાઓ મળશે અને આ ટૂર પેકેજ દરમિયાન કેટલો ખર્ચ થશે.
IRCTC'S Thailand Valentine Special tour package. Take your special someone on this trip & enjoy every moment well-spent including sightseeing, adventure & more. Book on https://t.co/pzNM1Wx9Ja@AmritMahotsav#AzadiKiRail
5 રાત અને 6 દિવસની મુસાફરી
IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલા આ ટૂર પેકેજમાં તમે 5 રાત અને 6 દિવસની મુસાફરીનો આનંદ માણી શકો છો. આ ટૂર પેકેજ દ્વારા તમે વેલેન્ટાઈન ડે પહેલા થાઈલેન્ડની મુલાકાત લઈ શકો છો. IRCTC દ્વારા આ ટૂર પેકેજની કિંમતમાં તમામ જરૂરી વસ્તુઓ સામેલ કરવામાં આવી છે. તમારે વધારાની સેવાઓ માટે વધારાનો ચાર્જ આપવો પડી શકે છે.
ક્યારથી લઈ શકશો આ ટૂર પેકેજનો લાભ?
આ પેકેજ 21 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે. જે 26 જાન્યુઆરી સુધી ચાલશે. કોલકાતાથી થાઈલેન્ડની યાત્રા શરૂ કરવામાં આવી રહી છે. IRCTC દ્વારા આ ટૂર પેકેજને 'થાઈલેન્ડ સ્પ્રિંગ ફેસ્ટિવલ ટૂર' નામ આપવામાં આવ્યું છે. પહેલા મુસાફરોને કોલકાતાથી બેંગકોક મોકલવામાં આવશે. આ પછી તેને ત્યાંથી પટાયા મોકલવામાં આવશે.
કઈ સુવિધાઓ આપવામાં આવશે?
IRCTC આવા મુસાફરો માટે હોટલમાં રોકાવાથી લઈને મુસાફરીમાં આગળ મોકલવા માટે વાહનની વ્યવસ્થા કરશે. ભારતીય રેલવે ટૂરિઝમ કોર્પોરેશનની તરફથી ભોજન અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત તમારી સાથે એક ગાઈડ પણ આપવામાં આવશે. જો તમે પણ થાઈલેન્ડ જવાનું મન બનાવી લીધું હોય, તો તમે IRCTCની સત્તાવાર વેબસાઈટ પર જઈને ટિકિટ બુક કરાવી શકો છો.
થાઈલેન્ડ જવા માટે કેટલો થશે ખર્ચ
આઈઆરસીટીસીની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર થાઈલેન્ડ જવા માટે સિંગલ પેસેન્જર્સે 54,350 રૂપિયા અને ડબલ પેસેન્જર્સે 46,100 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચૂકવવા પડશે. આ સિવાય જો ત્રણ લોકો મુસાફરી કરી રહ્યા હોય તો પ્રતિ વ્યક્તિ 46100 રૂપિયા ખર્ચવા પડશે.