''પાણી જીવન છે'' આ કહેવત તો તમે સાંભળી હશ. એનાથી આ વાત બિલકુલ સ્પષ્ટ છે કે પાણી પીવું આપણા જીવન માટે કેટલું જરૂરી છે. આપણું શરીર જે તત્વોથી બનેલું છે એમાં પાણી મુખ્ય છે. જેવી રીતે જીવવા માટે હવા જરૂરી છે એવી રીતે પાણી પણ આપણા શરીર માટે જરૂરી છે. આપણા શરીરમાં 60 ટકા માત્ર પાણીનું પ્રમાણ હોય છે. જો શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થઇ જાય તો જીવન જોખમમાં મૂકાઇ જાય છે. ગરમીમાં તરસ વધારે લાગે છે તો લોકો પાણી ખૂબ પીવે છે પરંતુ શિયાળો આવતા જ આ પ્રમાણ ઓછું થઇ જાય છે. એક વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું 2 લીટર પાણી પીવું જોઇએ. જો કે શિયાળામાં તરસ લાગતી નથી તો આપણાથી પાણી ખૂબ ઓછું પીવાય છે. એના કારણે ઘણી ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે.
જણાવી દઇએ કે ઓછું પાણી પીવાથી ડિહાઇડ્રેશન થવા પર શરીરને ઘણા બધા નુકસાન પહોંચે છે. એનાથી ઘણી ખતરનાક બિમારીઓનો સામનો કરવો પડે છે. જેમ કે ડાયરિયા તાવ વધારે પરસેવો આવવો અથવા વારંવાર પેશાબ આવવો પણ થઇ શકે છે.
ડિહાઇડ્રેશનથી તમારા શરીરમાં શું થાય છે ચલો જાણીએ.
કબજિયાત
શરીરમાં પાણી ઓછું હોય તો તમારા પાચન તંત્રને ખરાબ રીતે અસર પહોંચાડે છે. આપણને લાગે છે કબજિયાતના સમસ્યાની સારવાર માત્ર ફાઇબર જ છે પરંતુ પાણી એટલું જ જરૂરી છે. ફાઇબર ગટ સિસ્ટમમાં ઝેરી પદાર્થ નિકાળવામાં મદદ કરે છે પરંતુ ઝેરી પદાર્થોને ફ્લશ કરવા માટે પાણી જ ખૂબ જ જરૂરી છે.
સ્કીન પર અસર
જો તમે પૂરતા પ્રમાણમાં પાણી પીતા નથી તો સ્કીન પર પણ એની અસર જોવા મળે છે. તમારી સ્કીન ડ્રાઇ થઇ જાય છે. ખણ સ્કીન ટાઇટ થવી આ તમામ ડિહાઇડ્રેશનના લક્ષણ છે. પાણી ઓછું પીવા પર બ્લેડર કિડની અથવા UTI ઇન્ફેક્શનની શક્યતા વધી જાય છે. જો કિડની પોતાનું કામ યોગ્ય કરતી નથી તો તમને યૂરિન ઇન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે. શરીરમાં હાલમાં જે સોલ્ટ અને મિનરલ્સ સ્ટોન બનાવે છે પાણી એ સોલ્ટ અને મિનરલ્સ ને યૂરીનમાં ફેરવી દે છે. પાણી ના હોવા પર સોલ્ટ અને મિનરલ્સ ભેગા છઇને કિટની સ્ટોન્સમાં ફેરવી દે છે. કેટલીક વખત લોકો ડિહાઇડ્રેશનને ભૂખ સમજી લે છે.
જો તમે તરત ખાવાનું ખાધુ પણ તમને સંતોષ મળ્યો નથી. તો તમે એક ગ્લાસ પાણી પી જોવો. રિસર્સ અનુસાર પાણી પીવાથી તમને પેટ ભરેલું રહે છે. ડિહઇડ્રેશન હોવા પર થાક અને સુસ્ત મહેસૂસ થવા લાગે છે.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર દિવસ દરમિયાન થાકનું આ એક મહત્વનું કારણ હોય છે. આટલું જ નહીં મૂડ સ્વિંગ અને ગુસ્સો આવવો પણ ડિહાઇડ્રેશનનું કારણ હોઇ શકે છે. બ્લડ ડિલીવરી જ્યારે ડિહાઇડ્રેશનથી પ્રભાવિત થાય છે તો શરીરના ઘણા અંગ પોતાની ક્ષમતાના પ્રમાણે કાર્ય કરી શકતી નથી. એનાથી સુસ્તી વધવાની સાથે સાથે શોર્ટ ટર્મ મેમરી જવી સમસ્યાઓ પણ થઇ શકે છે.
આ દરેક સમસ્યાઓથી બચવા માટે દિવસમાં પૂરતું પાણી પીવું જોઇએ. તમે પાણી ઉપરાંત સુપ શાકભાજી અને ડ્રિંક્સ ફ્રૂટ જ્યુસથી પણ ડિહાઇડ્રેશનથી બચી શકો છો.