બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / કેવી રીતે ખબર પડે કે કોઈ જાતક માંગલિક છે? આ ઉપાયથી હનુમાન દાદા દૂર કરશે મંગળ દોષ

ધર્મ / કેવી રીતે ખબર પડે કે કોઈ જાતક માંગલિક છે? આ ઉપાયથી હનુમાન દાદા દૂર કરશે મંગળ દોષ

Last Updated: 08:16 AM, 3 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણી ધાર્મિક માન્યતા અનુસાર દરેક દિવસ દરેક દેવને સમર્પિત હોય છે ત્યારે મંગળવારના દિવસે હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. ઇચ્છિત પરિણામ મેળવવા માટે હનુમાનજીનું વ્રત પણ લોકો રાખે છે, આમ કરવાથી સાધક પર તેમની વિશેષ કૃપા વરસે છે. તો આ સાથે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની કુંડળીમાં મંગળ હોય તેણે પણ ખાસ મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. કુંડળીમાં મંગળને બળવાન કરવા માટે દર મંગળવારે હનુમાનજીની પૂજા કરો સાથે દરરોજ સૂર્ય ભગવાનને જળ અર્પણ કર્યા પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો. ત્યારે ચાલો જાણીએ મંગળના કુંડળીમાં મહત્ત્વ વિશે.

એક ધાર્મિક માન્યતા અનુસાર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીની પૂજા કરવાથી સાધકના જીવનમાં પ્રવર્તતા તમામ પ્રકારના દુ:ખ અને પરેશાનીઓ હંમેશ માટે દૂર થઈ જાય છે. મંગળવારે હનુમાનજીનું વ્રત કરવાથી કુંડળીમાં મંગળ ગ્રહ મજબૂત થાય છે અને મંગળ ગ્રહ મજબૂત થવાથી જાતક ઊર્જાવાન રહે છે અને આત્મ વિશ્વાસમાં વધારો થાય છે. અને જો મંગળ ગ્રહ નબળો હોય તો જાતક કમજોરી અનુભવે છે અને તેનું કોઈપણ કાર્યમાં મન લાગતું નથી. ત્યારે ચાલો જાણીએ આ મંગળ દોષના ઉપાય વિશે.

શું હોય છે મંગળ દોષ?

જ્યોતિષના કહેવા મુજબ કુંડળીના પહેલા, બીજા, ચોથા, સાતમાં, આઠમાં અને બારમાં ભાવમા જેને મંગળ હોય તે જાતકને માંગલિક કહેવાય છે. જો કે આની અસર દરેક જાતકો પર નથી પણ થતી પણ તે માટે જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે. જે જાતક માંગલિક હોય છે તેના લગ્નમાં વિલમબ થાય છે કે પછી તે જાતકના લગ્ન જીવનમાં ઘણીવાર સમસ્યાઓ ઊભી થાય છે અને આ માટે મંગળ દોષનું નિવારણ જરૂરી છે. ત્યારે ચાલો જાણીએ તેના ઉપાય.

વધુ વાંચો: ગ્રહોના રાજાનું ગોચર! ત્રણ રાશિના જાતકો રૂપિયે તોલાશે, સંપત્તિ અને સુખની થશે પ્રાપ્તિ

મંગળ દોષના ઉપાય

જો તમે પણ માંગલિક છો તો દર મંગળવારે હનુમાનજીણી પૂજા કરો. જો કે જો તમારે ભારે મંગળ હોય તો જ્યોતિષની સલાહ અચૂક લો. ભારે મંગળ હોય તે જાતકોએ મંગળ દોષના નિવારણ માટે પૂજા કરાવવી જોઇર. તેના લીધે લગ્નમાં વિલંબ કે પછી લગ્ન જીવનમાં સમસ્યા રહી શકે છે. મંગળ દોષથી છુટકારો મેળવવા માટે મંગળવારના દિવસે લાલ રંગની વસ્તુઓનું દાન કરો. મસૂર દાળ, મગફળી, લાલ રંગના કપડાં, ગોળ, મધ, લાલ મરચું જેવી વસ્તુઓનું તમે દાન કરી શકો છો જેનાથી મંગળની અસર ઓછી થશે. મંગળવારના દિવસે વ્રત રાખો, આમ કરવાથી પણ મંગળની અસર ઓછી થતી જોવા મળશે, આ દિવસે વ્રત રાખીને હનુમાનજીનું ધ્યાન ધરો અને હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરો.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mangal Dosh Kundli Lord Hanuman
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ