આજે અમે તમને તે 5 યોજનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં રોકાણ કરીને ટેક્સ તો બચાવી શકો છો પણ એ સાથે જ ઉત્તમ વળતર પણ મેળવી શકો છો.
ટેક્સ બચાવવા માટે થોડી ટિપ્સ વિશે જણાવશું
એ યોજનામાં ઉત્તમ વળતર પણ મેળવી શકો છો
પગારદાર લોકો પાસે ટેક્સ બચાવવા માટે બેસ્ટ વિકલ્પ
ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવામાં હવે થોડો સમય બાકી છે એવામાં કરદાતાઓ પાસેથી રોકાણની વિગતો ઓફિસો દ્વારા પૂછવામાં આવી રહી છે. એટલે કે લોકોએ અત્યારથી જ નાણાકીય આયોજન શરૂ કરી દીધું છે. ખાસ કરીને આવા ટેક્સપેયર જેઓ છેલ્લી ઘડીએ રોકાણ કરે છે એવા લોકો ટેક્સ સેવિંગ માટે નવા નવા રસ્તાઓ શોધી રહ્યા છે. એવામાં આજે અમે તમને ટેક્સ બચાવવા માટે થોડી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
મોટા ભાગના નોકરિયાત લોકો એટલે કે પગારદાર લોકો આજકાલ ઈન્કમ ટેક્સ કેવી રીતે બચાવું એ વિશે વિચારતા રહે છે. આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ સરકાર 1,50,000 રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સમાંથી છૂટ આપવામાં આવે છે. એટલા માટે પગારદાર લોકો પાસે ટેક્સ બચાવવા માટે વધુ સારો વિકલ્પ કોઈ નથી. એવામાં આજે અમે તમને તે 5 યોજનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં રોકાણ કરીને ટેક્સ તો બચાવી શકો છો પણ એ સાથે જ ઉત્તમ વળતર પણ મેળવી શકો છો.
સુકન્યા સમૃદ્ધિ યોજના:
EEE કેટેગરીની આ અદ્ભુત યોજનાનો લાભ ફક્ત તે જ લોકો લઈ શકે છે જેમની પુત્રી અથવા પુત્રીઓની ઉંમર 10 વર્ષથી ઓછી છે. જણાવી દઈએ કે આ યોજના હેઠળ બે દીકરીઓ સુધીનું ખાતું ખોલાવી શકાય છે જેમાં દર વર્ષે 1,50,000 રૂપિયા સુધી જમા કરાવવાની છૂટ છે. જણાવી દઈએ કે ખાતું ચાલુ રાખવા માટે દર વર્ષે તેમાં ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવવા પડશે. નોંધનીય છે કે હાલ આ ખાતામાં વાર્ષિક 7.6 ટકાના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ આપવામાં આવે છે અને આ યોજનામાં 15 વર્ષ માટે રોકાણ કરવાનું હોય છે. આ ખાતું 21 વર્ષનો સમયગાળો પૂરો કર્યા પછી જ પરિપક્વ થાય છે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ :
આ સ્કીમ EEE કેટેગરીની પણ એક સ્કીમ છે જેમાં ડિપોઝિટની 1,50,000 રૂપિયા સુધીનો રોકાણ કરી શકે છે અને એકાઉન્ટ ચાલુ રાખવા માટે દર વર્ષે ઓછામાં ઓછા રૂ. 500 જમા કરાવવાના હોય છે. જણાવી દઈએ કે સરકાર PPF ખાતાધારકોને 7.1 ટકાના દરે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ આપી રહી છે અને તેની પાકતી મુદત 15 વર્ષ પછી બને છે.
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ:
કેન્દ્ર સરકારની આ નાની બચત યોજનામાં રોકાણ પાંચ વર્ષ માટે કરવામાં આવે છે અને તેમાં લઘુત્તમ રોકાણ રૂ. 1,000 છે સાથે જ મહત્તમ રોકાણ માટે કોઈ મર્યાદા નથી. જણાવી દઈએ કે NSC કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઈને ખરીદી શકાય છે અને તે પાંચ વર્ષ પછી પરિપક્વ થશે. સરકાર હાલમાં NSC પર 7 ટકાના દરે વ્યાજ ચૂકવી રહી છે.
કિસાન વિકાસ પત્ર :
આ બચત યોજનામાં સરકાર NSC કરતાં થોડું વધારે વ્યાજ ચૂકવે છે અને તેની પરિપક્વતા હાલમાં 10 વર્ષમાં છે. જણાવી દઈએ કે આમાં પણ લઘુત્તમ રોકાણ રૂ. 1,000 છે, કોઈ મહત્તમ મર્યાદા નથી. KVP ખરીદવા માટે પણ પોસ્ટ ઓફિસ જવું પડશે. હાલમાં, આ યોજનામાં 7.2 ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવે છે અને રોકાણ કરેલી રકમ બરાબર 10 વર્ષમાં બમણી થઈ જાય છે અને રોકાણકારના હાથમાં પરત આવે છે.
વરિષ્ઠ નાગરિક બચત યોજના:
આ યોજના નિવૃત્ત નોકરીયાત લોકો માટે ચલાવવામાં આવી છે અને હાલમાં કોઈપણ યોજનામાં આ યોજના કરતાં વધુ વ્યાજ આપવામાં આવતું નથી. જણાવી દઈએ કે વ્યક્તિ SCSS માં માત્ર એકસાથે રોકાણ કરી શકે છે જેનું લઘુત્તમ રોકાણ 1,000 રૂપિયા છેઅને તેની મહત્તમ મર્યાદા 15 લાખ રૂપિયા છે. તેનું વ્યાજ ત્રિમાસિક ધોરણે રોકાણકારને ચૂકવવામાં આવે છે અને હાલમાં આ યોજનામાં કરેલા રોકાણ પર 8 ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે.