આપણી હથેળીમાં કુદરતી રીતે દોરાયેલી રેખાઓ વચ્ચે એક એવી રેખા હોઈ શકે છે જે પળ વારમાં તમારૂ ભાગ્ય બદલી શકે છે. એવું કહેવાય છે કે જેની હથેળીમાં આ રેખા હોય છે તેને કરોડપતિ બનવાથી કોઇ રોકી શકતું નથી.
હથેળીમાં ગુરુ શુક્ર બુધ અને ચંદ્ર પર્વતો હોય તો રાજલક્ષ્મી યોગ બને છે. જેથી નસીબ અને મહેનતથી તમે પુષ્કળ પ્રમાણમાં નાણાં કમાઇ શકો છો અને આનંદથી જીવન વિતાવી શકો છો.
તમારી હથેળીમાં રેખાઓ દ્વારા જો કાચબાનૂ ચિહ્ન બનેલું છે તો તે રેખાઓ તમને અચાનક શ્રીમંત બનાવી શકે છે. તમને અચાનક ગમેત્યાથી ઘણાં નાણાં મળી શકે છે.
તમારી બંને હથેળીઓમાં ભાગ્યરેખા મણીબંધ એટલે કે કલાઇથી લઇને સીધી સૌથી મોટી આંગળી સુધી પહોંચે છે તો તમે ગજલક્ષ્મીના યોગ સાથે આવ્યા છો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આવા લોકો એક સરળ કુટુંબમાં જન્મ લઈને ખૂબ સમૃદ્ધ અને પ્રખ્યાત છે. એટલે કે ટોચ પર પહોંચે છે.