અંબાજીમાં ગબ્બર દર્શન આજે બપોર બાદ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. આ પ્રતિબંધ હાલ 4 એપ્રિલ 2022 માટે જ છે.
ગબ્બરની પરિક્રમા આજે બંધ રહેશે
ભમરાના મધપુડા ઉડાડવાના હોવાથી પરિક્રમા બંધ
યાત્રિકોને પરેશાની ન થાય તે માટે નિર્ણય
અખંડ જયોતના તળેટી પ્રવેશ દ્વારથી દર્શન કરી શકાશે
અંબાજી સ્થિત ગબ્બરની પરિક્રમા આજે બંધ રહેશે
અંબાજીમાં ગબ્બર દર્શન આજે બપોર બાદ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. ગબ્બરગઢ ઉપર મધપૂડા ઉડાડવાની કામગીરીને લઈને આજે બપોરે 3 વાગ્યા બાદ ગબ્બર ટોચ ઉપર યાત્રિકોની અવરજવર પર પ્રતિબંધ લગાવાયો છે. ગરમીના ઉકળાટમાં મધમાખી યાત્રિકોને હેરાન ન કરે તે માટે ઉડાડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. અખંડ જ્યોતના દર્શન ગબ્બર તળેટીમાં પ્રવેશ દ્વાર ખાતે રાખવામાં આવશે. આ પ્રતિબંધ હાલ 4 એપ્રિલ 2022 માટે જ છે.
યાત્રિકોને પરેશાન ન થાય તે માટે દર વર્ષે થાય છે આયોજન
ઉલ્લેખનીય છે કે ચૈત્રી નવરાત્રીન કારણે મોટી સંખ્યામાં ભક્તો અંબાજી મંદિર અને ગબ્બર પરની જ્યોતના દર્શન કરવા આવતા હોય છે. બીજી બાજુ અત્યારે ભારે ગરમી પડી રહી છે ત્યારે મધમાખી કરડવાની શક્યતા વધી જાય છે. ગબ્બરમાં ઘણી જગ્યાએ મધપુડા અવેલા છે. જો ગબ્બર પર કોઈને મધમાખી કરડે તો તેમને તાત્કાલિક સારવાર આપવી મુશ્કેલ હોવાથી આ મધપુડા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.