આખરે જગન્નાથના ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે. આજે જગત નાથ જગન્નાથ નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના દર્શન કરવા માટે જાણી લો ટાઈમલાઇન, કેટલા વાગે ક્યાં પહોંચશે
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા
મંદિરના પટાંગણમાં રથ તૈયાર કરવામાં આવ્યા
મંદિર પરિસરમાં ભક્તોનો જમાવડો
રથ ખેંચવા માટે ખલાસીઓ મંદિર પહોંચ્યા
રથયાત્રાને લઇ મોસાળ સરસપુરમાં જોરદાર ઉત્સાહ
ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નિમિત્તે આજે ભગવાનના મોસાળમાં સરસપુરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાનનો મીઠો આવકારવા કરવા માટે નગરજનોનો થનગની રહ્યાં છે. બીજી તરફ ભગવાનના મોસાળ સરસપુરને દુલ્હનની જેમ શણગારાયું છે. સમગ્ર મંદિર પરિસરને રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું છે.