રોટી, કપડા અને મકાન સિવાય પણ રૂપિયા વ્યક્તિ જરૂરિયાત છે તેના અભાવના કારણે વ્યક્તિ તેના જીવનમાં ઘણા એવા કાર્યો કરવામાં અસમર્થ થઇ જતો હોય છે.
ધનના માધ્યમથી તે તેમના પરિવાર માટે ભોજન તથા ભૌતિક સુખ સુવિધા પ્રાપ્ત કરે છે. ભારતમાં ધનને આધ્યાત્મની સાથે જોડવામાં આવે છે અને તેને દેવી લક્ષ્મીજીનો દરજ્જો આપવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે જે વ્યક્તિ પર ધનની દેવી લક્ષ્મીની કૃપા હોય છે તેમના જીવનમાં ક્યારેય પણ ધન સંબંધિત મુશ્કેલી આવતી નથી અને તેમનું જીવન વૈભવશાળી રહે છે.
વાસ્તુ શાસ્ત્રમાં ધનથી સંબંધિત કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જેનો ઉપયોગ કરવા પર વ્યક્તિના જીવનમાં ક્યારેય ધનની સમસ્યા થતી નથી. તેમજ દરેક વ્યક્તિને વાસ્તુમાં આપવામાં આવેલી આ વિશેષ વાતોનું ધ્યાન રાખવું જોઇએ. તો આવો જાણીએ વાસ્તુ શાસ્ત્ર આ વિષયમાં શુ કહે છે.
થૂંકનો ઉપયોગ
તમે ઘણી વખત જોયુ હશે કે કેટલાક લોકો નોટ ગણતા સમયે તેમના થૂંકનો ઉપયોગ કરતા હોય છે. આમ કરવું વાસ્તુ શાસ્ત્રમાં અનુચિત માનવામાં આવ્યુ છે. કારણકે આમ કરવાથી માતા લક્ષ્મીજીનું અપમાન થાય છે અને વ્યક્તિના જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. જેથી પૈસા ગણતા સમયે ક્યારેય થૂંકનો ઉપયોગ ન કરવો જોઇએ. જરૂર પડે તો તમે પૈસા ગણવા માટે પાણીનો ઉપયોગ કરી શકો છો.
ખાદ્ય સામગ્રી ન રાખો
જે વ્યક્તિ તેમની પાસે પૈસા રાખવા માટે પર્સનો ઉપયોગ કરે છે તે લોકોએ આ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે તેમને પર્સમાં કોઇપણ પ્રકારની ખાદ્ય સામગ્રી ન હોવી જોઇએ, આ સાથે જ બિનજરૂરી કાગળ પણ પર્સમાં ન રાખવા જોઇએ. જો હાથમાંથી પૈસા જમીન પર પડી જાય તો તેને લઇને માથે લગાવીને પર્સમાં રાખવા જોઇએ.