માતા વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓને માટે હવે એક કોલ સેન્ટર કામ કરશે. દેશ વિદેશના ભક્તોને માટે ઘરે બેઠા સીઝનની, યાત્રાની દરેક જાણકારી મળશે. માતા વૈષ્ણોદેવી શ્રી સાઈન બોર્ડે કટડામાં આધ્યાત્મિક કેન્દ્રમાં કોલ સેન્ટર સ્થાપિત કર્યું છે. અહીં કોલ કરીને તમે યાત્રાની તમામ જાણકારી મેળવી શકો છો.
માતા વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓને માટે સારા સમાચાર
આ એક નંબર પર કોલ કરીને મળશે તમામ જાણકારી
ભક્તો માટે શરૂ કરાઈ છે આ ખાસ વ્યવસ્થા
મળતી માહિતી અનુસાર બોર્ડને વધારે ને વધારે આધુનિક રીતે વાપરીને શ્રદ્ધાળુઓને સારી સુવિધાઓ નિરંતર આપવી જોઈએ. આ માટે બોર્ડના મુખ્ય અધિકારી રમેશ કુમારે કહ્યું કે વિશ્વભરમાં માતાના ભક્તો માટે ઈ લાઈબ્રેરીની સંભાવના પર વિચાર કરવો. આ માટે તેઓએ ટેલિફોન નંબર 01991-234804 કોલ સેન્ટર અને હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે.
આ બાબતોની મળશે જાણકારી
કોલ સેન્ટરથી વિશ્વભરના માતા વૈષ્ણોદેવીના ભક્ત સીઝનની સાથે યાત્રા સંબંધી જાણકારી, ભવન અને આધાર શિબિરમાં રહેવાની સુવિધા સાથે સવાર અને સાંજે થનારી દિવ્ય આરતીમાં સામેલ થવા માટે તથા સ્વાસ્થ્ય સહાયતાની જરૂરી જાણકારીઓ મળશે. સાથે બેટરી, કાર અને હેલિકોપ્ટરની સેવાઓ સુવિધાઓ પ્રાપ્ત કરવા કોલ સેન્ટર ફાયદારૂપ રહેશે. સીઇઓએ આધ્યાત્મિક કેન્દ્રમાં સ્થાપિત સભાગાર, મોટીવેશન કેન્દ્ર અને હવન અને યજ્ઞશાળાની સુવિધાઓ માટે ઓનલાઈન પ્રસાદ યૂનિટની જાણકારી આપી છે.
જલ્દી બનશે 30 હેલ્પ ડેસ્ક
શ્રદ્ધાળુઓની સુવિધા માટે શ્રાઈન બોર્ડે આધ્યાત્મિક કેન્દ્રમાં 30 લાઈનના કોલ સેન્ટર બનાવાશે. જલ્દી જ તેમની સંખ્યા વધારીને 30 હેલ્પ ડેસ્ક કરાશે. શ્રદ્ધાળુઓને સુવિધા રહે તે માટે આ સુવિધાઓ 24 કલાક મળી રહેશે. શ્રદ્ધાળુઓને યાત્રા સંબંધી જાણકારી મળી રહેશે. તો હવે તમે પણ ઉપરના નંબર પર ફોન કરીને વિસ્તૃત જાણકારી દર્શન પહેલા મેળવી શકશો. કોલ સેન્ટરમાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રિય ફોન કોલની સુવિધા આપવામાં આવી છે.