આપ અમદાવાદી છો તો અમદાવાદીઓ માટે પોલીસ કમિશ્નર તરફથી એક ખાસ સુચના જાહેર કરવામાં આવી છે. ગભરાશો નહીં આ સુચના અમદાવાદના પોલીસ કમિશ્નર એ.કે સિંહ તરફથી આપવામાં આવી છે અને શહેરની સુરક્ષાને લઈને બહાર પડાયેલું જાહેરનામું અને તેનો અમલ 7મી મેં 2019 થી 21મી મેં 2019 સુધી કડક રીતે કેટલીક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.જેનો અમલ એક જવાબદાર શહેરીજન તરીકે દરેકે કરવો રહ્યો.
અમદાવાદના પોલીસ કમિશ્નર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમા કોઇની નકલ કરવી,તેમજ જાહેરમાં ગીત ગાવું કે પછી કોઇ વ્યક્તિની કે જે રાજકીય હોય તેની મિમિક્રી કરવી કે જાહેરમાં ભાષણ કરવા જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદના પોલીસ કમિશ્નર દ્વારા 7મેં 2019થી 21મેં 2019 સુધી આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જો આ નિયમોનો ભંગ કરવામાં આવશે અને જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેના કોઇ પણ નિયમને અનુરવામાં નહી આવે તેની સામે કડક પગલા લેવામાં આવશે, આ સાથે કાર્યવાહી પણ કરવામાં આવશે. મહત્વનું છે કે ફોજદારી અધિનિયમ અને 1866ની કલમ 188 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુંજબ તે વ્યક્તિ કે જેણે આ જાહેરનામાંનો ભંગ કર્યો છે તે સજાને પાત્ર થશે. સાથે સાથે જાહેરનામું ભંગ કરનારા વ્યક્તિ પર દંડાત્મક પલગા પણ ભરવામાં આવશે.
મહત્વનું છે કે, હવે લોકસભાની ચૂંટણીના પરિણામનો દિવસ ધીરેધીરે નજીક આવી રહ્યો છે 23મી મેંનારોજ પરિણામો છે અને તેને લઇને જ કાયદો અને વ્યવસ્થા જાળવવી ખુબ જ મહત્વની બની ગઇ છે તેને લઇને તંત્રએ ચાંપતો બંદોબસસ્ત અને વ્યવસ્થા ગોઠવી દીધી છે. તેના જ ભાગ રૂપે અમદાવાદના પોલીસ કમિશ્નર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જેનો અમલ ખુબ જવાબદારી પૂર્વક દરેક નાગરિકે કરવો જોઈએ.