પંજાબ અને મહારાષ્ટ્ર કો ઑપરેટિવ બેંક પર મંગળવારે ભારતીય રિઝર્વ બેંકે છ મહિનાનો પ્રતિબંધ લગાવી દીધો હતો. આરબીઆઇના નિયમો અનુસાર જો દેશમાં કાર્યરત કોઇ પણ બેંક નાદાર થાય છે તો પછી ગ્રાહકને માત્ર 1 લાખ જ રૂપિયા પાછા મળશે.
પંજાબ અને મહારાષ્ટ્ર કો ઑપરેટિવ બેંક (PMC) પર મંગળવારે ભારતીય રિઝર્વ બેંકે છ મહિનાનો પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધ બાદ બેંકના ખાતાધારક આવતા છ મહિના સુધી માત્ર 1 હજાર રૂપિયા નિકાળી શકશે. હાલ આ બેંકમાં ખાતાધારકોની જમા રકમ પૂરી રીતે સુરક્ષિત છે. પરંતુ આરબીઆઇના નિયમો અનુસાર જો દેશમાં કાર્યરત કોઇ પણ બેંક નાદાર થાય છે તો પછી ગ્રાહકને માત્ર 1 લાખ જ રૂપિયા પાછા મળશે.
બેંકનું લાયસન્સ રદ થવા પર નહીં મળે રકમ
આરબીઆઇના નિયમો અનુસાર જો બેંકનું લાયસન્સ કોઇ પણ કારણોસર રદ થાય છે તો પછી ગ્રાહકોની જમા રકમના પાછા મળવા પર કોઇ પણ પ્રકારની જવાબદારી નહીં હોય. બેંકનું લાયસન્સ જ્યાં સુધી હોય ત્યાં સુધીમાં કદાચ કોઇ કારણ સુધીમાં બેંક ડૂબી જાય છે તો પછી માત્ર એક લાખ રૂપિયા જ પ્રત્યેક ખાતાધારકને મળશે.
આ છે નિયમ
આરબીઆઇના સ્વામિત્વ વાળી ડિપૉઝીટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશનના નિયમ અનુસાર દેશમાં કાર્યરત તમામ બેંકોનો વીમો હોય છે. આ વીમા ખાતાધારકોની જમા રકમ પર પણ છે. જો કે બેંકનું લાયસન્સ રદ થઇ જાય છે તો પછી કોઇ પ્રકારનો વીમો ખાતાધારક પર અસર કરશે નહીં. આ નિયમ તમામ સરકારી, ખાનગી અને કોઓપરેટિવ બેંકો પર લાગૂ છે.
આ હેઠળ કરી છે આરબીઆઇએ કાર્યવાહી
અનિયમિતતા રાખવાના આરોપમાં ભારતીય રિઝર્વ બેંકે મુંબઇ સ્થિત પંજાબ એન્ડ મહારાષ્ટ્ર સહકારી બેંક પર છ મહિનાનો પ્રતિબંધ લગાવ્યો છે. આરબીઆઇએ કાર્યવાહી બેંકિગ રેગુલેશન એક્ટ 1949ની સેક્શન 35A હેઠળ લગાવવામાં આવ્યો છે.
11 હજાર કરોડ રકમ, છ રાજ્યોમાં 137 શાખાઓ
પીએમસી કો ઑપરેટિવ બેંકની પાસે હાલ 11 હજાર કરોડ રૂપિયા જમા છે. દેશના છ રાજ્યો મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, ગોવા, ગુજરાત અને મધ્યપ્રદેશમાં આ બેંકની કુલ 137 શાખાઓ છે. બેંકની પાસે હાલ 8,383.33 કરોડની લોન છે. હાલ બેંકનું લાયસન્સ રદ કરવામાં આવ્યું નથી.
આરબીઆઇએ કહ્યું કે બેંક આવતા આદેશ સુધી પોતાનું બેંકિંગ કાર્ય જારી રાખી શકે છે. બેંક પોતાની કોઇ સંપત્તિને વેચી શકે નહીં. બેંક કોઇ પણ નવી લોન જારી કરી શકે નહીં અને ના જૂની લોનનું ફરીથી નવીનીકરણ કરી શકે છે.