બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:03 PM, 21 June 2024
નવગ્રહોમાં શનિદેવને ન્યાયના દેવતાનો દરજ્જો પ્રાપ્ત છે. શનિ મકર તેમજ કુંભ રાશિનો સ્વામી છે.. શનિને તુલા રાશિમાં ઉચ્ચ અને મેષ રાશિમાં નીચનો ગ્રહ માનવામાં આવે છે.. વર્તમાનમાં શનિ કુંભ રાશિમાં વિરાજમાન છે.. શનિના કુંભ રાશિમાં હોવાથી કર્ક અને વૃશ્ચિક રાશિ પર અઢીવર્ષની પનોતીનો પ્રભાવ છે.. જ્યોતિષ શાસ્ત્રનું કહેવું છે કે દરેક વ્યકિતને જીવનમાં એકવાર શનિની મહાદશાનો સામનો કરવો પડે છે..
ADVERTISEMENT
શનિ એક આકરો ગ્રહ છે. પરંતુ જન્મ કુંડળીમાં શનિનું ઉચ્ચ સ્થાન શુભ પરિણામો પ્રદાન કરે છે. શનિને કર્મના ફળદાતા કહેવામાં આવે છે. શનિ શુભ કર્મ કરનારાઓને શુભ ફળ આપે છે અને અશુભ કર્મ કરનારાઓને અશુભ ફળ આપે છે. જાણો ક્યારે કર્ક અને વૃષભ રાશિઓ શનિથી મુક્ત થશે.
શનિ ક્યારે બદલાશે?
ADVERTISEMENT
શનિ સૌથી ધીમો ગ્રહ છે. શનિ લગભગ અઢી વર્ષ સુધી દરેક રાશિમાં રહે છે. તેથી જ શનિને રાશિચક્ર પૂર્ણ કરવામાં લગભગ 30 વર્ષ લાગે છે. શનિએ 17 જાન્યુઆરી, 2023ના રોજ મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી તે આ રાશિમાં છે. શનિ આવતા વર્ષે 29 માર્ચ, 2025ના રોજ કુંભ રાશિથી મીન રાશિમાં આવશે
કર્ક અને વૃશ્ચિક રાશિ પછી આ રાશિઓ શનિની અઢી વર્ષની પનોતીની ઝપટમાં
ADVERTISEMENT
વર્ષ 2025 માં શનિના ગોચરથી સિંહ અને ધન રાશિને અઢી વર્ષની પનોતી શરૂ થશે. મકર રાશિ અને વૃશ્ચિક રાશિવાળા લોકોની અઢીવર્ષની પનોતી પૂર્ણ થતા રાહત મળશે.
આ રાશિઓને હાલ શનિની સાડાસાતી
ADVERTISEMENT
હાલમાં મકર રાશિમાં શનિની સાડાસાતીનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે.. . કુંભ રાશિમાં શનિની સાડાસાતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. જ્યારે મીન રાશિ પર સાડા સાતીની પનોતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે.
ADVERTISEMENT
નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણ સત્ય હોવાનો અમે કોઇ દાવો કરતા નથી, આપ સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ અવશ્ય લો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.