ઘણા લોકોને મોડી રાત્રે જમવાની આદત હોય છે. જેમા અમુક લોકો ઓફિસના કારણે અથવા પોતાના જીવન જરૂરીયાત બિઝનેસના કારણે દરરોજ મોડા જમે છે.
તમે પણ જો રાત્રે મોડા જમતા હોવ તો ચેતી જજો કારણ કે. રાત્રે મોડા જમવાથી ઘણી બિમારીઓના શિકાર થઇ જશો. સ્પેનની બાર્સેલોના ઈન્સિટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થ ના એક સર્વે મુજબ જો રાત્રે ઊંઘવાના 2 કલાક પહેલા અથવા 9 વાગ્યા પહેલા તમે ભોજન કરશો તો પ્રોસ્ટેટ અને બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટી શકે છે.
આ સ્ટડીમાં રિસર્ચરો દ્વારા 10 વાગ્યા પછી ભોજન કરતા અને 9 વાગ્યા પહેલા ભોજન કરતા લોકો પર અધ્યન કરી સરખામણી કરી હતી. જેમાં તેમને ચોંકવાનારા પરિણામો મળ્યા. તેમા જાણવા મળ્યું કે 9 વાગ્યા પહેલા જમતા લોકોમાં આ ગંભીર રોગોનું જોખમ 20 ટકા ઓછું જોવા મળ્યું.
સમયસર ભોજન ન કરવાની અસર લાઈફ સ્ટાઈલ અને જૈવિક લય પર પડે છે. જેના કારણે ગંભીર રોગ થવાની શક્યતા વધી જાય છે. આવી ગંભીર બાબતોથી દૂર રહેવા માટેનો ઉપાય છે કે યોગ્ય સમયે ભોજન કરવું.