ઘણા લોકોને રાત્રે મોડા ખાવાની આદત હોય છે. આવુ કરવા પાછળ ઘણા કારણ હોય છે. ઘણા લોકો ઓફિસ અથવા અન્ય કામના કારણે મજબૂર હોય છે, તો ઘણા લોકોને એવી આદત હોય છે કે તેઓ મોડી રાત્રે ખાતા હોય છે. જો તમે પણ મોડી રાત્રે ખાવાનુ ખાવો છો તો આજે જ તમારી આ આદતને બદલી નાખો. કારણકે આમ કરવાથી તમને ડાયાબિટીસની સમસ્યા થઇ શકે છે. આવો વિસ્તૃતપૂર્વક જાણીએ.
રાત્રે મોડા ખાવાની ટેવ હોય તો આજે જ બદલી નાખજો
રાત્રે મોડું ખાવાથી ડાયાબિટીસ થવાના એંધાણ
રાત્રે સમયસર ખાવાથી જોખમને નિવારી શકાય છે
સ્પેનમાં કરાયો અભ્યાસ
તાજેતરમાં બહાર આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રાત્રે ખાવાનુ ખાવાથી ડાયાબિટીસના ઝળૂંબતા જોખમને નિવારી શકાય છે. આ અભ્યાસ સ્પેનના 845 પુખ્ત વયના લોકો પર કરવામાં આવ્યો છે. જ્યાં દરેક વ્યક્તિને આઠ કલાક ખાધા વગર રાખવામાં આવ્યાં હતા. ત્યારબાદ બીજા દિવસની રાત્રિએ સામાન્યથી થોડુ અને પછી તેના પછીના દિવસની રાત્રિએ મોડુ ખાવાનુ ખવડાવવામાં આવ્યું હતુ.
મેલાટોનિન હોર્મોનને કરાયું છે નોટિસ
સંશોધનકારોએ મેલાટોનિન રિસેપ્ટર-1 બી જીનની અંદર દરેક વ્યક્તિના જિનેટીક કોડને પણ જોયો. અહીં જણાવવાનું કે મેલાટોનિન એક હોર્મોન છે, જે મુખ્ય રીતે રાત્રે એક્ટિવ થાય છે, જે રાત્રે ઉંઘતી વખતે ઉંઘવામાં અને જાગવાના ચક્રને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. આ રિસર્ચમાં મેલાટોનિન-1 બી જીનમાં ઉચ્ચ સ્તરની સાથે નોંધવામાં આવ્યું છે. મોડી રાત્રે જમનારા લોકોમાં ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ જોવામાં આવ્યું છે.
મેલાટોનિનના સ્તરની માત્રા વધુ મળી
સંશોધનકારોએ શોધી કાઢ્યુ છે કે એક વ્યક્તિના લોહીમાં મેલાટોનિનનું સ્તર રાત્રે ખાવાનુ ખાધા બાદ 2.5 ગણુ વધી ગયુ હતુ. રાત્રે મોડુ ખાવાથી ઈન્સુલિનનું સ્તર ઘટે છે અને રક્ત શર્કરાનું સ્તર વધે છે. તેથી મોડી રાત્રે ખાવાના સમયને જોતા મેલાટોનિન-1 બી જી-એલીલવાળા માણસોમાં રક્ત શર્કરાનું સ્તર એવા લોકોની તુલનામાં વધુ હતુ, જે ઉપરના જિનેટીક સંસ્કરણ વગરના હતા.