આદુવાળી ચા મોટાભાગના લોકોને ખૂબ પસંદ હોય છે. શિયાળાની સિઝનમાં દરેક લોકોની ઈચ્છા હોય છે. ઘરમાંથી લઇને બહારના દરેક લોકોને આદુવાળી ચા ખૂબ પસંદ આવે છે.
શિયાળામાં આદુવાળી ચા લોકોને ખૂબ પસંદ
આદુવાળી ચાનું વધારે સેવન આપણા શરીર માટે હાનિકારક
વધુ સેવન કરવાથી બ્લડ શુગરમાં થાય છે ઘટાડો
ચાનું વધારે સેવન શરીર માટે હાનિકારક
પરંતુ શું તમને ખબર છે કે આદુવાળી ચાનું વધારે સેવન આપણા શરીર માટે હાનિકારક છે. તેનું વધુ સેવન કરવાથી તમે બિમાર પણ પડી શકો છો. જોકે, ચા આદુ સિવાય ઈલાયચીવાળી કેમ ના હોવી જોઈએ. ચાનું વધુ સેવન કરવાથી તમારા આરોગ્યને નુકસાન જ થાય છે. કોઈ પણ વ્યક્તિ આખા દિવસમાં પાંચ ગ્રામ આદુનુ સેવન કરી શકે છે. પરંતુ તેનાથી વધુ આદુ સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. જો તમે ચાના શોખીન છો તો તમે થોડા સંતર્ક થઇ જાઓ.
આદુનુ વધારે સેવન બ્લડ શુગરમાં કરે છે ઘટાડો
આદુનુ વધારે સેવન બ્લડ શુગરના સ્તરને ઘટાડી નાખે છે. આ સિવાય પેટમાં બળતરાની સમસ્યા પણ વધારે છે. તબીબોના જણાવ્યાં મુજબ, આદુનું વધારે સેવન કરવાથી ઉંઘની સમસ્યા પણ ઉભી થાય છે. આ સાથે એસિડિટીની સમસ્યા પણ ઉભી થાય છે. આ સાથે વધુ આદુવાળી ચા પેટમાં વધારે ગેસ બનાવે છે.
યોગ્ય માત્રામાં આદુ લેવુ ફાયદાકારક
તો જે લોકોને હાઈ બ્લડપ્રેશર અથવા બીપીની ફરિયાદ છે તો તેમણે યોગ્ય માત્રામાં આદુ લેવુ ફાયદાકારક રહે છે. જેનું બીપી લો અથવા ઘટી જાય છે તો તેમણે થોડું આદુ લીધુ તો તેમના આરોગ્ય માટે હાનિકારક હોઇ શકે છે. ખરેખર, આદુમાં લોહીને પાતળુ બનાવવાનો ગુણ હોય છે. એવામાં બીપીના દર્દીઓનું બીપી વધુ ઘટી શકે છે.