કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકોને વાંરવાર સાબુ હાથ ધોવા અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. લોકોમાં ડર છે કે તેઓ સંક્રમિત ન થઈ જાય. એટલે જ લોકો ઘરેથી બહાર નીકળવા પર સેનિટાઈઝર અને માસ્કનો ઉપયોગ કરે છે. એવામાં ઘણાં એવા લોકો છે જેઓ પોતાના મોબાઈલને પણ ડિસઈન્ફેક્ટેડ કરવા માટે સેનેટાઈઝરનો ઉપયોગ કરી રહ્યાં છે. પણ તમને જણાવી દઈએ કે આવું કરવાથી મોબાઈલને મોટું નુકસાન થઈ શકે છે.
સેનિટાઈઝરથી ફોનને થઈ શકે છે મોટું નુકસાન
ફોનને ડિસઈન્ફેક્ટેડ ન કરતા આ ભૂલ
સ્ક્રીન અને સ્પીકર થઈ શકે છે ખરાબ
કેટલાક લોકો ફોનને સાફ કરવા માટે એન્ટી બેકટીરિયલ વેટ-વાઈપ્સનો પણ ઉપયોગ કરે છે પણ કેટલાક લોકો હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરી રહ્યા છે. આલ્કોહલ યુક્ત સેનેટાઈઝર ફોનની ઉપર નાંખીને ઘસીને સાફ કરતા હોય છે. પરંતુ આવી રીતે તમારા ફોનને નુકસાન થઈ શકે છે. વધુ સેનેટાઈઝ કરવાથી તમારા ફોનની સ્ક્રીન, હેડફોન જેક અને સ્પીકર પણ ખરાબ થઈ શકે છે.
ફોનમાં શોર્ટ સર્કિટ થઈ શકે છે
કોરોના બાદ ફોન રિપેરિંગ સેન્ટર પર મોટા ભાગના એવા ફોન જ આવી રહ્યાં છે જેને સેનેટાઈઝરથી સાફ કરવામાં આવ્યા છે. રિપેરિંગ સેન્ટરના એક મેકેનિકે જણાવ્યું કે, ઘણા લોકો મોબાઈલને એવી રીતે સેનેટાઈઝ કરી રહ્યાં છે કે, હેડફોન જેકમાં સેનિટાઈઝર ઘૂસી જાય છે. તેમાં ફોનમાં શોર્ટ સર્કિટ થવાનો ખતરો પણ હોય છે
ડિસ્પ્લે અને કેમેરાને પણ થઈ શકે છે નુકસાન
ફોનને સેનેટાઈઝરથી સાફ કરવા પર તમારા ફોનનો રંગ બદલાઈ શકે છે. આલ્કોહલવાળુ સેનેટાઈઝર ફોનની ડિસ્પ્લે અને કેમેરા લેન્સ પણ ખરાબ કરી શકે છે. તેનાથી ફોનની ડિસ્પ્લેનો રંગ પણ પીળો પડી શકે છે.
આ રીતે સાફ કરો ફોન
ફોનને સાફ કરવા માટે હમેશાં રૂમાં સેનિટાઈઝર લઈને તેનાથી સાફ કરો. આ સિવાય તમે મેડિકેટેડ વાઈપ્સનો પણ ઉપયોગ કરી શકે છે.